Ahmedabad: અંગદાન મહાદાન- સિવિલ હોસ્પિટલમાં 100મું અંગદાન સંપન્ન થયું, આ પહેલથી અનેક દર્દીઓને મળ્યા છે નવજીવન

|

Jan 25, 2023 | 11:55 AM

અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડિસેમ્બર-2020 માં શરૂ થયેલ અંગદાનની (Organ donation) પ્રવૃતિ ધીરે ધીરે વેગીલી બની છે અને તારીખ  24-01-23ના રોજ 100મું અંગદાન સંપન્ન થયું હતું.  આર્થિક ભીંસના કારણે અંગોની ખોડ ખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે  હવે  પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે

Ahmedabad:  અંગદાન મહાદાન- સિવિલ હોસ્પિટલમાં 100મું અંગદાન સંપન્ન થયું, આ પહેલથી અનેક દર્દીઓને મળ્યા છે નવજીવન
સિવિલ હોસ્પુિટલ ખાતે સંપન્ન થયું 100મું અંગદાન

Follow us on

સિવિલ હોસ્પિટલને  ગત રોજ તેનું 100મું અંગદાન પ્રાપ્ત થયું હતું. આ અંગદાન દ્વારા મળેલા બે કિડની, લીવર, ફેફસાં અને હ્દયને અન્ય દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરામાં રહેતા 26 વર્ષીય યુવકનું બ્રેઈનડેડ થતા તેના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો. અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં 24 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

અંગદાન અંગે  જાગૃતિ આવતા દર્દીઓની સારવાર કરવામાં સરળતા

આ યુવકના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અંગદાતાના પરિવારજનોના સેવાભાવને બિરદાવતા કહ્યું કે, અંગદાન થકી માણસ મૃત્યુ બાદ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું અંગદાનનો નિર્ણય કરનારી વ્યક્તિ તેમજ તેના પરિવારજનો ભારતીય સંસ્કૃતિના “સેવા પરમો ધર્મ”ના મંત્રને ચરિતાર્થ કરે છે. નોંધનીય છે કે  સિવિલ હોસ્પિટલની  SOTTO ની ટીમ દ્વારા સતત આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્યારે  આ પ્રયાસ સફળ બન્યો છે અને અંગદાનના પ્રમાણમાં વધારો થયો છે  તેના કારણે  જરૂરિયાતવઆળા દર્દીઓની સારવાર કરવામાં પણ સરળતા રહે છે.

સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયેલા 100 માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં 24 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. નિલેશભાઈને બ્રેઇન઼ડેડ જાહેર કરતા સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા મૃતકના પિતા તેમજ પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી ત્યારે તેમના પિતા મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો હતો.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડિસેમ્બર-2020 માં શરૂ થયેલ અંગદાનની પ્રવૃતિ ધીરે ધીરે વેગીલી બની છે અને તારીખ  24-01-23ના રોજ 100મું અંગદાન સંપન્ન થયું હતું.   આર્થિક ભીંસના કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે  હવે  પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે. ભારતમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષ 27 નવેમ્બરે રાષ્ટ્રીય અંગદાન દિવસ (National Organ Donation Day મનાવામાં આવે છે.

 

આ પણ વાંચો  Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં બે અંગદાન, બે વર્ષમાં 99 અંગદાન

Published On - 11:50 am, Wed, 25 January 23

Next Article