Ahmedabad : શહેરના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ

|

Aug 30, 2021 | 6:59 PM

અમદાવાદ શહેરમાં બપીર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ વાદળછાયું વાતાવરણ થયું હતું. જ્યારે તેની બાદ અનેક વિસ્તારોમાં ધીમે ધારે તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં સતત જોવાઇ રહેલી વરસાદની રાહ વચ્ચે આજે અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં બપોર  બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ વાદળછાયું વાતાવરણ થયું હતું. જ્યારે તેની બાદ અનેક વિસ્તારોમાં ધીમે ધારે તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

જેમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. શહેરના વેજલપુર, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, બોપલ, બોડકદેવ, ઘુમામાં વરસાદ પડતાં લોકોના ખુશી જોવા મળી હતી. જ્યારે
મણીનગર, ખોખરા, અમરાઇવાડી, ઓઢવ, નિકોલમાં પણ વરસાદ વરસ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ ભારે તો નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. અને 2 સપ્ટેમ્બરે આણંદ, ભરૂચ તથા સુરતમાં અતિ ભારે વરસાદ પડશે તેમજ ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, બોટાદ, પાટણ, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : Gujarat Top News : રાજ્યમાં જન્માષ્ટમીની ઉજવણી કે વરસાદને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો :  DEVBHUMI DWARKA : દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં

Published On - 6:40 pm, Mon, 30 August 21

Next Video