Gujarat Assembly Election 2022 : નળ સરોવર રોડ પર વિંછીયા ગામે યોજાયો આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ

|

Apr 26, 2022 | 10:13 PM

આમ આદમી પાર્ટીના(AAP ) લોક સંવાદ દ્વારા ગુજરાતના અનેક લોકો પોતાની સમસ્યાઓને લઈને AAPના નેતા પાસે આવી રહ્યા છે. અને લોકોની આશા બંધાઈ રહી છે. તેમજ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી મોંઘવારીને કારણે દેશની જનતા ખૂબ જ પરેશાન છે. અને મોંઘવારીની અસર દેશમાં દરેક જગ્યાએ જોવા મળી રહી છે.

Gujarat Assembly Election 2022 : નળ સરોવર રોડ પર વિંછીયા ગામે યોજાયો આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ
Nalsarovar Aap Jan Samvad Programme Held

Follow us on

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓને(Gujarat Assembly Election 2022) લઇને રાજકીય પક્ષોએ રાજકીય ગતિવિધિઓ તેજ કરી છે. જે અંતર્ગત હાલ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર હાલ જન સંવાદ(Jan Samvad) કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં આદમી પાર્ટી ગુજરાતના તમામ પ્રદેશના તમામ નેતાઓ, પદાધિકારીઓ, સંગઠન મંત્રીઓની મુખ્ય મહેમાનો તરીકે વિશેષ હાજરી આપી રહ્યા છે. જેમાં નળ સરોવર રોડ પર વિંછીયા ગામે આ જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ તેમા ઉપસ્થિત સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક લેવલના પ્રશ્નો અને તકલીફોની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

જો કે આ ઉપરાંત અન્ય જનસંવાદ સભામાં લોકો ઉમળકાભેર આવી રહ્યા છે, જેમાં લોકો ભાજપની સરકાર સામે પોતાનો ગુસ્સો અને 27 વર્ષથી વણઉકેલ્યા પ્રશ્નોની રજુઆત કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટી એક આશાની નજરથી જોઇ રહી છે. તેમજ આ કાર્યક્રમ 11 મે સુધી ચાલવાનો છે જેમાં ગુજરાતની તમામ વિધાનસભાઓ ને આવરી લેવામાં આવશે. તેમજ તેમાં ખેડૂતો, નોકરીયાત વ્યાવસાયિકો, ઘરની મહિલાઓ, દુકાનદારો અને નાના લોકો પોતાની રજૂઆત કરી રહ્યા છે.

જન સંવાદ કાર્યક્રમમાં લોકો ભારે ઉત્સાહમાં

તાજેતરમાં આમ આદમી પાર્ટીના લોક સંવાદ દ્વારા ગુજરાતના અનેક લોકો પોતાની સમસ્યાઓને લઈને AAPના નેતા પાસે આવી રહ્યા છે. અને લોકોની આશા બંધાઈ રહી છે. તેમજ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી મોંઘવારીને કારણે દેશની જનતા ખૂબ જ પરેશાન છે. અને મોંઘવારીની અસર દેશમાં દરેક જગ્યાએ જોવા મળી રહી છે. કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર આ મુદ્દે વાત કરવા માંગતી નથી તેમ આમ આદમી પાર્ટીના કાર્યકરો જનસંવાદમાં ચર્ચા કરી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આમ આદમી પાર્ટી દ્વારા પહેલીવાર અલગ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. લોકો જાહેર પ્રવચનમાં તેમની પીડા અથવા તેમની સમસ્યા પણ વ્યક્ત કરી રહ્યા છે.ગુજરાતની ઘણી વિધાનસભાઓમાં જનસંવાદ કાર્યક્રમ દરમિયાન, લોકો મુખ્યત્વે ખાનગી શાળાઓની ફી, કથળતી સરકારી શિક્ષણ વ્યવસ્થા, ભ્રષ્ટાચાર લઈને પરિવર્તનનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે.

આ પણ વાંચો :  Ahmedabad : રમઝાન માસમાં મુસ્લિમ યુવકના અંગદાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

આ પણ વાંચો :  Surat: ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલને 5 મેના રોજ સંભળાવવામાં આવશે સજા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:10 pm, Tue, 26 April 22

Next Article