અમદાવાદમાં હવે સિગ્નલ પર તાપમાં શેકાવુ નહીં પડે, 100 સિગ્નલ બપોરે રહેશે બંધ

|

Apr 02, 2024 | 2:49 PM

ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવરજવર કરે છે, તેમજ પોલીસ જવાનો પણ ભર બપોરે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા સમયે હવે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને મુશ્કેલી સહન ના કરવી પડે તે માટે બપોરના સમયે અમુક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદમાં હવે સિગ્નલ પર તાપમાં શેકાવુ નહીં પડે, 100 સિગ્નલ બપોરે રહેશે બંધ

Follow us on

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડવાનું પણ શરૂ પણ થઈ ચૂક્યું છે. બપોરના સમયે રસ્તા પર અવરજવર કરતા વાહન ચાલકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, તો સાથે જ રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને પણ ભારે ગરમી સહન કરવી પડી રહી છે. વાહન ચાલકો તેમજ ટ્રાફિક જવાનોને કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

જેમ જેમ ગરમીની ઋતુ આગળ વધતી જાય છે તેમ તેમ કાળઝાળ ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ ગરમીનું સૌથી ઊંચું તાપમાન ધરાવે છે. આવા સમયે રસ્તા પર અવરજવર કરતા લોકો, વાહનચાલકો તેમજ ટ્રાફિકની નોકરી કરતા પોલીસ જવાનોને ખૂબ મુશ્કેલી સહન કરવી પડી રહી છે.

બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય

ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવરજવર કરે છે, તેમજ પોલીસ જવાનો પણ ભર બપોરે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા સમયે હવે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને મુશ્કેલી સહન ના કરવી પડે તે માટે બપોરના સમયે અમુક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી વાહન ચાલકોને તડકામાં ઉભું પડે નહીં.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

100 સિગ્નલ ઉપર વાહન ચાલકો મળશે રાહત

સમગ્ર અમદાવાદમાં ટ્રાફિકના નિયમન માટે 305 જેટલા સિગ્નલો મૂકવામાં આવેલા છે. જેમાંથી 285 જેટલા સિગ્નલો કાર્યરત છે. જે પૈકી 100 સિગ્નલોને ઉનાળા દરમિયાન બપોરના 12 થી 4 વાગ્યાના સમયે બંધ રાખવામાં આવશે એટલે કે આવા સિગ્નલોને બ્લીન્કીંગમાં મૂકવામાં આવ્યા છે. આ 100 સિગ્નલ ઉપર વાહન ચાલકોએ ટ્રાફિક નિયમન માટે સિગ્નલ પર ઊભું રહેવું પડશે નહીં. જેને કારણે વાહન ચાલકોને ગરમીથી પણ રાહત મળશે.

આ ઉપરાંત વધારે ટ્રાફિક ધરાવતા અન્ય સિગ્નલોનો સમય 50% સુધી ઓછો કરી દેવામાં આવ્યો છે જેથી વાહન ચાલ લોકોને વધુ સમય તડકામાં ઊભું પડશે નહીં. આ ઉપરાંત ટ્રાફિક વિભાગ જે સિગ્નલો ચાલુ હશે ત્યાં ચાર રસ્તા પર તાલપત્રી અથવા તો મંડપ બાંધવા માટે પણ વિચારણા કરી રહી છે. જેથી કરીને વાહન ચાલકો જેટલી વાર સિગ્નલ ખોલવાની રાહ જોવે તે સમયે તેમને ગરમી લાગે નહીં. જે અંગે પણ આવનારા સમયમાં ટ્રાફિક વિભાગ નિર્ણય લઈ શકે છે.

ગરમીથી બચવા ખાસ વ્યવસ્થા

જે રીતે તંત્ર દ્વારા લોકોની મુશ્કેલીઓને ધ્યાન પર લેવાય છે તેવી જ રીતે ગરમીમાં રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે પણ કોર્પોરેશનની મદદથી ટ્રાફિક પોલીસ દ્વારા ડીહાઈડ્રેશન થાય નહિ તેના માટે ખાસ પાઉચ આપવામાં આવ્યા છે. જે પીવાથી ગરમી સામે રક્ષણ મળી શકે છે. આ ઉપરાંત સામાન્ય નાગરિકો પણ જરૂર જણાય ત્યારે આ પાઉચ ટ્રાફિક પોલીસ પાસેથી મેળવી શકે છે. જેને કારણે વધુ પડતી ગરમીથી રાહત મળી શકશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:24 pm, Tue, 2 April 24

Next Article