અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઇ છે સાથે સાથે અકસ્માતની સંખ્યા પણ વધી છે. ત્યારે તંત્ર પણ ટ્રાફિક અને અકસ્માત ઓછા થાય એ માટે મથામણ કરી રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે અકસ્માત ઉપર નિયંત્રણ લાવવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર પ્રમાણે ફોર વ્હીલર સહિતના તમામ પ્રકારના વાહનો કેટલી ગતિમાં ચાલશે એની માહિતી આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પોલીસ કમિશનર એ.કે.સિંઘના જાહેરનામા પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હદમાં આવતા એક્સપ્રેસ-વે, નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તથા શહેરમાંના અન્ય માર્ગ ઉપર પસાર થતાં વાહનો અકસ્માતો ઘટાડવા અને વધારે ગતિવાળા વાહનોના અકસ્માતથી થતી ઇજા-નુકસાનની માત્રા ઘટાડી માર્ગ સલામતી સ્તરમાં સુધારણા સાથે રાહદારી અને મુસાફરી કરતાં નાગરીકો સહિત જાહેર જનતાને સુરક્ષા પ્રદાનન કરવા હેતુસર વાહનોની ગતી મર્યાદા સંબંધે હુમક કરવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]