Gujarat: ઓમિક્રોનની એન્ટ્રી બાદ પ્રાથમિકના બાળકોના ઓફલાઇન વર્ગો બંધ કરવાની માગ, જાણો શું કહ્યું આરોગ્ય પ્રધાને

Ahmedabad : ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ વાલીઓએ શાળાઓ બંધ કરવાની માંગ કરી છે. તો સરકારે તમામ શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 6:41 AM

Omicron: એક તરફ દોઢ વર્ષથી બંધ પ્રાથમિક શાળાના (Primary School) વર્ગો શરૂ થઇ ચૂક્યા છે, તો બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટની (Omicron Variant) એન્ટ્રીથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો બંધ કરવા વાલીઓએ માગ કરી છે. તો શાળાઓ બંધ કરવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું. આરોગ્ય પ્રધાને કહ્યું કે, સરકારે (Gujarat Government) તમામ શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરી છે. વધુમાં કહ્યું કે, જો કોરોનાના કેસ વધશે તો ચર્ચા વિચારણા કરી સરકાર નિર્ણય લેશે.

તો જણાવી દઈએ કે શનિવારે ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઈ હતી. સાઉથ આફ્રિકાથી જામનગરમાં આવેલા 72 વર્ષના વૃદ્ધના રિપોર્ટ શનિવારે આવ્યા હતા. જેમાં ઓમિક્રોનની અસર હોવાની પૃષ્ટિ થતા તંત્ર દોડતું થયું હતું. તો બીજી તરફ ઘણા બાળકો પણ આ વેરિએન્ટમાં સપડાયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. આવામાં સ્વાભાવિક છે કે વાલીઓની બાળકો પ્રત્યે ચિંતા વધે.

એક વાલીનું કહેવું છે કે બાળકોને હજુ સુધી વેક્સિન મળી નથી. જેથી તેમને ઓમિક્રોન થવાની શક્યતા વધુ છે. તો તેમનું કહેવું છે કે નાના બાળકોની સુરક્ષા માટે સરકાર પગલા લે અને સ્કૂલ ઓન લાઈન શરુ કરે એવી તેમની માગ છે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો

આ પણ વાંચો: Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">