અમદાવાદના પિરાણા પાસે આવેલા પિપળજમાં આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. FSLની ટીમે ઘટના સ્થળના મુલાકાત લીધી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, આખરે અહીં ક્યા પ્રકારનું કેમિકલ ઉપયોગમાં લેવામાં આવતું હતુ. શું બ્લાસ્ટ થઇ શકે તેવું કેમિકલ ઉપયોગમાં લેવાતો હતો? શું આ કેમિકલ માટે જે સાવચેતી ના પગલાં લેવા જોઇએ તે પગલાં કંપનીએ નહોતા લીધા? એવી માહિતી મળી રહી છે કે, હાઈડ્રોજન પેરોક્સાઈડ,હાઈ મિથાઈલ થેલેટ, ડાય ઈથાઈલ ગ્લાયકોલ, મિથાઈલ ઈથાઈલ ગેરોન આ ચાર કેમિકલ અહીંયા હતા. તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો