અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટી પડવાને મુદ્દે એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હાલ તમામ 28 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 27 દર્દીઓની હાલત સ્થિર છે.
આ પણ વાંચોઃ VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જ્યારે 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો છે. અને તેના જમણા પગમાં ફ્રેકચર છે. તેની હાલત નાજુક હોવાથી તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કાંકરીયામાં રાઈડ તૂટી પડવાને પગલે મોટાભાગના દર્દીઓને કરોડરજ્જુમાં ઈજા પહોંચી હતી. જ્યારે 8 દર્દીઓને પગ, થાપા અને હાથમાં ફ્રેકચર થયા હતા. જેઓ હાલ સારવાર હેઠળ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]