રાજ્યના ખેડૂતો પર આ વર્ષે કુદરતે કેર વરસાવ્યો છે. તેવામાં ખેડૂતોને પાકવીમો પણ નથી મળી રહ્યો. રાજ્યના અનેક જિલ્લામાં ખેડૂતોને ગત વર્ષનું પાકવીમાનું વળતર નથી મળ્યું. જ્યારે અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલા સાથળ ગામમાં જ્યાં 400 ખેડૂતો ન્યાય ઝંખી રહ્યા છે.
આ પણ વાંચો: VIDEO: દિલ્લીમાં કૉંગ્રેસના નેતાઓ સાથે સોનિયા ગાંધીની બેઠક, શિવસેનાને ટેકો આપવા પર થશે મંથન
ખેડૂતોનું કહેવું છે કે- તેમણે વર્ષ 2017-18 માટે પ્રિમિયમના 6.80 લાખ રૂપિયા ભરી દીધા છે. એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયાએ તેમનું પ્રિમિયમ કાપ્યું છે. છતાં આ કંપનીએ તેમને વળતર નથી ચૂકવ્યું. જેથી હવે ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો