Ahmedabad : રેમડિસિવિર ઈન્જેકશનની ડિમાન્ડમાં વધારો, ઝાયડસ હોસ્પિટલ બહાર લાગી લાંબી કતારો

|

Apr 07, 2021 | 4:23 PM

Ahmedabad : શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ અટકી નથી રહ્યું. ત્યારે બીજી તરફ હવે Ahmedabadમાં રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પડાપડી થઈ રહી છે. શહેરની ઝાયડસ હોસ્પિટલની બહાર 300થી વધુ લોકોની ઈન્જેક્શન લેવા માટે લાઈનો લગાવી હતી.

Ahmedabad : રેમડિસિવિર ઈન્જેકશનની ડિમાન્ડમાં વધારો, ઝાયડસ હોસ્પિટલ બહાર લાગી લાંબી કતારો
ઝાયડસ હોસ્પિટલ બહાર લાઇન

Follow us on

Ahmedabad : શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ અટકી નથી રહ્યું. ત્યારે બીજી તરફ હવે Ahmedabadમાં રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પડાપડી થઈ રહી છે. શહેરની ઝાયડસ હોસ્પિટલની બહાર 300થી વધુ લોકોની ઈન્જેક્શન લેવા માટે લાઈનો લગાવી હતી. માત્ર અમદાવાદના જ નહીં, પરંતુ સુરત, રાજકોટ, મહેસાણા સહિતમાંથી લોકો ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલ આવ્યા હતા. લોકોમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે કે નહીં એની ચિંતા જોવા મળી રહી છે.

રેમડિસિવિર ઈન્જેકશનની ડિમાન્ડ વધી

કોરોના મામલે દિવસેને દિવસે Gujaratની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 2-3 દિવસથી કોરોનાના રોજ 3000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેને પગલે લોકોમાં ફરી હવે coronaનો ડર ઊભો થયો છે, જેમાં ahmedabad અને suratમાં તો સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. હાલ જે કેસ નોંધાઇ રહ્યા છે એમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ છે. જેથી તેમને ICUમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓને ક્રિટિકલ સમયમાં રાહત આપવા માટે પ્રાઇમરી સ્ટેજ પર રેમડિસિવિર ઈન્જેકશન આપવામાં આવે છે, જેને કારણે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટે લોકો આખો દિવસ અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર લાઈન લગાવી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

private hospitalમાં ઈન્જેકશન ન મળતાં લોકોએ લાઈન લગાવી

આ ઈન્જેકશન બજારમાં ડિસ્ટ્રિબ્યુટર પાસે 899થી લઈને 5400 સુધી અલગ અલગ COMPANYના ભાવ મુજબ મળે છે. જેમાં ઝાયડ્સ કેડિલા COMPANY લોકોને સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઈન્જેકશનનું વેચાણ કરતી હોવાથી લોકો લાઈન લગાવી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર પાસે તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન ઉપલબ્ધ છે, પરંતુ લોકોને ડર છે કે આ ઈન્જેકશનની અછત સર્જાશે અને કેટલાક લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન મળતાં ન હોવાથી તેઓ લાઇન લગાવીને ઊભા છે.

 

રેમડેસિવિરથી દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય ઘટાડી શકાય
એક અખબારી મુલાકાત દરમિયાન ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપીરોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ એનો લાભ છે. બાકી આ રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે.

Next Article