AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદના ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં બે બાળકો સાથે માતા-પિતાના મૃતદેહ મળ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

| Updated on: Mar 29, 2022 | 10:59 PM
Share

અમદાવાદના(Ahmedabad)  ઓઢવના(Odhav)  વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ(Dead Body) મળી આવ્યા છે. જેમાં બે બાળકો સાથે માતા-પિતાના મૃતદેહ મળ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.અમદાવાદના ઓઢવમાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યાના કેસમાં વૃદ્ધા, મહિલા અને દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં ઘરનો મોભી ફરાર થયો છે. તેમજ 15 દિવસથી પરિવાર અહીં રહેવા આવ્યો હતો. તેમજ 4 દિવસ પહેલા હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. જેમાં 4 મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. તેમજ મૃતદેહ પર હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળ્યા છે. જ્યારે પોલીસે વિનોદ મરાઠી નામના ઘરના મોભીની શોધખોળ શરૂ કરી છે.

સોનલની માતાએ રિપોર્ટ લખાવ્યા બાદ તપાસ શરૂ  કરાઇ હતી

વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હતો. તેમજ હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.જેમાં મળી આવેલા ચાર મૃતદેહોમાં મૃતક સોનલ વિનોદ મરાઠી, મૃતક ગણેશ વિનોદ મરાઠી, મૃતક પ્રગતિ વિનોદ મરાઠી અને 70 વર્ષના સુભદ્રાબેન, વિનોદની સાસુનીમાં (સોનલના દાદી) હોવાનું જાણવા મળ્યું છે. તેવો 15 દિવસથી અહીં રહેવા આવ્યા છે. જ્યારે પહેલા આ લોકો નિકોલમાં રહેતા હતા. આ અંગે સોનલની માતાએ રિપોર્ટ લખાવ્યો કે તેમની દીકરી નથી મળી રહી અને તપાસ શરૂ થઈ હતી.

આ પણ વાંચો :  Gujarat માં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો :  Ahmedabad: સરખા નામના કારણે ખોટા કેન્દ્ર પર પહોચી ગયેલી ધો.10ની વિદ્યાર્થિનીને પોલીસે સાચા કેન્દ્ર પર પહોંચાડી

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">