અમદાવાદ બન્યું કોરોનાનું એપીસેન્ટર, કોરોનાનો આંક પાંચસોને પાર

|

Mar 23, 2021 | 10:01 PM

ગુજરાતમાં Corona ના કેસ વધતાની સાથે જ અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે . જેમાં આજે રાજ્યમાં નોંધાયેલા 1730 કેસમાંથી જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે.

અમદાવાદ બન્યું કોરોનાનું એપીસેન્ટર, કોરોનાનો આંક પાંચસોને પાર
Ahmedabad Corona Test File Image

Follow us on

ગુજરાતમાં Corona ના કેસ વધતાની સાથે જ અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે . જેમાં આજે રાજ્યમાં નોંધાયેલા 1730 કેસમાંથી જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 કેસ નોંધાયા છે. આમ અમદાવાદ કોર્પોરેશનમાં સુરત કોર્પોરેશન કરતાં પણ વધારે કેસ નોંધાયા છે. જે શહેરમાં ફેલાયેલા Corona કેસની ભયાનકતા દર્શાવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આજે કોરોનાના લીધે બે લોકોનાં મોત થયાં છે.

માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 197 પર પહોંચ્યો

અમદાવાદ શહેરમાં કોરોના લીધે માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામા પણ વધારો થયો છે. જેમાં મંગળવારે શહેરના 175 માઇક્રો ઝોન માંથી 5 વિસ્તાર દૂર કરાયા છે. જયારે વધુ 27 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેના લીધે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 197 પર પહોંચ્યો છે. જોવા જઇએ તો શહેરમાં ચૂંટણી બાદ માઈક્રો કન્ટેઇનમેન્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે ઉમરાયેલા વિસ્તારની વાત કરીએ તો નવા વિસ્તારમાં લાંભા, મણિનગર, બોડકદેવ, થલતેજ અને ચાંદલોડીયામાં સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થયો છે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

અમદાવાદ -સુરતમાં સ્થિતિ બેકાબૂ

રાજ્યમાં આજે મહાનગરોમાં નવા નોંધાયેલાCoronaના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 502 કેસ નોંધાયા છે અને સુરતમાં 476 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતી જઈ રહી છે. રાજ્યમાં આજે નવા નોંધાયેલા કુલ કેસોના 50 ટકા કેસ માત્ર અમદાવાદ અને સુરતમાં જ સામે આવ્યા છે.

સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ અમલી

ગુજરાતમાં સતત વધી રહેલા Coronaના કેસના પગલે કોરોના એપીસેન્ટર સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત રાત્રે 9થી સવારના 6 વાગે સુધી રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં સપ્તાહના અંતમાં શનિ અને રવિવારના રોજ મોલ તથા સિનેમા ઘરોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1730 કેસ 

ગુજરાતમાં Corona ના કેસ સતત વધી રહ્યા છે. જેમાં મંગળવારે કોરોનાના રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. તેમજ ચાર લોકોનાં  મોત થયા છે. જેમાં અમદાવાદમાં નવા 502 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં કોરોનાના 162 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 130 કેસ નોંધાયા છે. જ્યારે ખેડામાં 24 અને શહેરમાં 23 કેસ નોંધાયા છે. તેમજ આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યાં છે.

 

Published On - 9:59 pm, Tue, 23 March 21

Next Article