હવે અમદાવાદથી પોરબંદર કે જેસલમેર જનારા યાત્રિકો માટે ખુશખબર છે. અમદાવાદ એરપોર્ટ પરથી બે નવી હવાઈ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ઉડાન 2 પ્રોજેકટ અતર્ગત એરપોર્ટ પરથી 20 ડિસેમ્બરથી અમદાવાદ-જેસલમેર અને અમદાવાદ-પોરંબદરની હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.
આ નવી હવાઈ સેવાનું સંચાલન ટ્રુજેટ એરલાઈન્સ કરશે. જોકે નવી શરૂ કરાયેલી ફલાઇટનું ભાડું પણ સાધારણ જ રાખવામાં આવ્યું છે. જેથી સામાન્ય લોકો પણ ફ્લાઈટમાં પ્રવાસ કરી શકે. અમદાવાદથી પોરબંદર અને અમદાવાદથી જેસલમેરની ફલાઇટ અઠવાડિયામાં 4 દિવસ ઉડાન ભરશે અને આગળ જતા ફલાઈટની ફ્રીક્વન્સીમાં પણ વધારો કરવામાં આવશે.
આ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન સેવા અંતર્ગત અમદાવાદથી ભાવનગર, જામનગર, દીવ અને મુદ્રાની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી પરંતુ એરકંપનીની અણઆવડતને કારણે તે પ્રોજેક્ટ નિષ્ફળ નીવડ્યો હતો.
[yop_poll id=281]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 10:09 am, Wed, 19 December 18