અરબી સમુદ્રમાંથી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી રહેલા તાઉ તે વાવાઝોડાથી કોઈ નુકસાન ના થાય તે માટે, અમદાવાદ એરપોર્ટ આજે 17મી મેના સાંજના 7.30થી લઈને આવતીકાલ 18મી મેના સવારના પાંચ વાગ્યા સુધી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.
તાઉ તે વાવાઝોડુ મુંબઈ નજીકથી પસાર થયુ ત્યારે પશ્ચિમ ભારતમાં સૌથી વ્યસ્ત એવા મુંબઈ એરપોર્ટ પણ સાવચેતીના ભાગરૂપે કેટલાક કલાક માટે બંધ કરી દેવાયુ હતું. મુંબઈ એરપોર્ટ પહેલા ચાર વાગ્યા સુધી અને પછી સમય વધારીને સાંજના છ વાગ્યા સુધી ફ્લાઈટના આવન જાવન બંધ કરી દીધી હતી.
અમદાવાદ એરપોર્ટ ઉપર પણ તાઉ તે વાવાઝોડાની કોઈ ગંભીર અસર ના થાય તે માટે સાવચેતીના ભાગરૂપે આશરે 10 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તાઉ તે વાવાઝોડુ, આજે રાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ત્રાટકવાનું છે ત્યારે તેની 165 કિલોમીટરની ઝડપે ફુકાતો પવન વધુ કોઈ નુકસાન ના કરે તેના માટે સાવચેતીના પગલા લેવાયા છે.
આજે સવારે સુરતનું એરપોર્ટ પણ ફ્લાઈટના આવન જાવન માટે બંધ કરી દેવાયુ હતું. આમ મુંબઈ અને સુરતની માફક જ અમદાવાદનું એરપોર્ટ પણ 17મી મે 2021ની સાંજના 7.30 કલાકથી 18મી મે 2021ની સવારના પાંચ વાગ્યા સુધી ફ્લાઈટ બંધ કરી દેવાઈ છે.
#AhmedabadAirport is fully prepared for #CycloneTauktae, and as a precautionary measure our operations will remain suspended from 19:30 hrs, 17th May to 05:00 hrs 18th May 2021.
We’ll keep you updated for further developments.#ImportantUpdate #SVPIAirport #Cyclone #CycloneAlert— Ahmedabad Airport (@ahmairport) May 17, 2021
Published On - 7:16 pm, Mon, 17 May 21