Gujarati NewsGujaratAhemadabad st nigam vadhu bus dodavano karyo nirnay lockdown thi bandh bus
અમદાવાદ એસટી નિગમનો 25 ઓક્ટોબરથી 40 વધુ બસો દોડાવવાનો નિર્ણય, લૉકડાઉન બાદ બંધ બસોને શરૂ કરાશે
અમદાવાદ એસટી નિગમે આગામી 25 ઓક્ટોબરથી વધારાની 40 બસો દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં 15 વૉલ્વો બસ અમદાવાદથી દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, ભૂજ અને સુરત તરફ દોડાવવામાં આવશે. જ્યારે 13 AC બસ અમદાવાદથી દાહોદ, ડીસા, મોરબી, ઉના તરફ દોડાવાશે. જ્યારે 6 AC સ્લીપર બસો અમદાવાદથી વાપી, સુરત અને પાટણ તરફ દોડાવાશે. […]
Follow us on
અમદાવાદ એસટી નિગમે આગામી 25 ઓક્ટોબરથી વધારાની 40 બસો દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં 15 વૉલ્વો બસ અમદાવાદથી દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, ભૂજ અને સુરત તરફ દોડાવવામાં આવશે. જ્યારે 13 AC બસ અમદાવાદથી દાહોદ, ડીસા, મોરબી, ઉના તરફ દોડાવાશે. જ્યારે 6 AC સ્લીપર બસો અમદાવાદથી વાપી, સુરત અને પાટણ તરફ દોડાવાશે. લૉકડાઉન બાદથી રાજ્યના શહેરોમાં એસટી નિગમની બસોનું સંચાલન અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અનલૉકની પ્રક્રિયામાં કેટલાક અંતરની એસટી બસોને દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે અમદાવાદ એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 25 ઓક્ટોબરથી વધારાની 40 બસો દોડાવવામાં આવશે.