અમદાવાદમાં કર્ફયુની જાહેરાતને લઇને લોકમુખે અનેક પ્રશ્નો, સરકારી આંકડામાં ગોલમાલની લોકોમાં ચર્ચા

|

Nov 20, 2020 | 6:55 PM

સરકારની કોરોનાના આંકડા સાથેની રમત યથાવત છે. સરકારી આંકડામાં મોટી ઘાલમેલ કરવામાં આવી હોવાનું ફલિત થઇ રહ્યું છે. હાલ અમદાવાદીઓમાં એક જ સવાલની ચર્ચા છે કે જો અમદાવાદમાં સરકારી આંકડા મુજબ કોરોના કેસ નથી વધ્યા તો કર્ફયુ કેમ ? અને, જો કેસ વધ્યા છે તો સરકાર આંકડા જાહેર કેમ નથી કરતી. એટલે કે હવે ધીમધીમે […]

અમદાવાદમાં કર્ફયુની જાહેરાતને લઇને લોકમુખે અનેક પ્રશ્નો, સરકારી આંકડામાં ગોલમાલની લોકોમાં ચર્ચા

Follow us on

સરકારની કોરોનાના આંકડા સાથેની રમત યથાવત છે. સરકારી આંકડામાં મોટી ઘાલમેલ કરવામાં આવી હોવાનું ફલિત થઇ રહ્યું છે. હાલ અમદાવાદીઓમાં એક જ સવાલની ચર્ચા છે કે જો અમદાવાદમાં સરકારી આંકડા મુજબ કોરોના કેસ નથી વધ્યા તો કર્ફયુ કેમ ? અને, જો કેસ વધ્યા છે તો સરકાર આંકડા જાહેર કેમ નથી કરતી. એટલે કે હવે ધીમધીમે સ્પષ્ટ થઇ રહ્યું છે કે સરકારના બતાવવાના જૂદા અને ચાવવાના જૂદા છે. જોકે હવે પ્રજા જાગૃત થઇ ગઇ છે.અને જનતા સરકાર પાસે જવાબ માગી રહી છે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં પાછલા 6 દિવસમાં 1265 કેસ નોંધાયા. જ્યારે 1233 લોકોને ડિસ્ચાર્જ કરાયા.જે દર્શાવે છે કે પાછલા 6 દિવસમાં પોઝિટિવ કેસમાં સામાન્ય વધારો નોંધાયો છે. જોકે કેસ ઓછા હોવાછતા કરફ્યૂ જેવો કડક નિર્ણય કેમ લેવો પડ્યો તે સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. જનતા ડૉ.રાજીવ ગુપ્તા પાસે જવાબ માગે છે કે કરફ્યૂ લાદીને કેમ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. કેમ સરકાર સચ્ચાઇ છૂપાવી રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article