લોકોએ કોરોનાને હળવાશથી લેતાં હવે આરોગ્ય વિભાગે કડકાઈ દાખવવી પડી છે. કોવિડ-19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતા તંત્રએ ઝપાટાભેર પાણીપૂરીની લારીઓથી માંડીને અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા બર્ગર કિંગને પણ સીલ કરી દિધું છે. AMCની ટીમે ચાની કિટલી, પાનના ગલ્લા, હોટલ, રેસ્ટોરન્ટ, સેન્ડવીચ સેન્ટર પર ભીડ દેખાય તે તમામને બંધ કરાવવાનું શરૂ કર્યુ છે. કારણ કે અમદાવાદમાં […]
Follow us on
લોકોએ કોરોનાને હળવાશથી લેતાં હવે આરોગ્ય વિભાગે કડકાઈ દાખવવી પડી છે. કોવિડ-19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતા તંત્રએ ઝપાટાભેર પાણીપૂરીની લારીઓથી માંડીને અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા બર્ગર કિંગને પણ સીલ કરી દિધું છે. AMCની ટીમે ચાની કિટલી, પાનના ગલ્લા, હોટલ, રેસ્ટોરન્ટ, સેન્ડવીચ સેન્ટર પર ભીડ દેખાય તે તમામને બંધ કરાવવાનું શરૂ કર્યુ છે. કારણ કે અમદાવાદમાં લોકોએ બેફામ બનીને ખરીદીમાં, દુકાનમાં, જમવાની હોટેલ, લારી ગલ્લાઓ પર ભીડ જમાવતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પાછલા 24 કલાકમાં જ અમદાવાદમાં 220 કેસ નોંધાયા છે.પરિણામે ન છૂટકે તંત્રએ વધતી ભીડ અને સંક્રમણને કાબૂમાં લેવા કડકાઈ દાખવવાની ફરજ પડી છે.