રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર પહેલાની જેમ ચિંતાજનક હદે વધી રહ્યાં છે. અમદાવાદ સિવિલમાં 100થી વધુ દર્દીઓ રોજ દાખલ થતાં તંત્ર હરકતમાં આવ્યુ. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ અને સિવિલ હોસ્પિટલના તબીબોની એક રિવ્યુ બેઠક મળી. જેમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આરોગ્યની સુવિધાઓ વધારવાને લઈ ચર્ચા-વિચારણા કરાઈ. રાજ્યની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, સ્ટાફને લઈ રિવ્યુ બેઠક મળી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે લૉકડાઉનની કોઈ શક્યતા નથી. પરંતુ સારવારની સુવિધાઓમાં જરૂર પડ્યે વધારો કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો