Gujarati NewsGujaratAfter pulwama attacks bjp minister said attack on pakistan before lok sabha elections 2019
VIDEO : ગુજરાતના આ પ્રધાને પાકિસ્તાન સામે ગુમાવ્યો પિત્તો, ‘ભારતમાં લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા થવી જોઇએ’
ગુજરાતના વરિષ્ઠ પ્રધાન ગણપત વસાવાએ પુલવામા આતંકી હુમલા પર તીખા પ્રત્યાઘાત આપતા પાકિસ્તાન સામે પોતાનો પિત્તો ગુમાવી દીધો. TV9 Gujarati Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી […]
Follow us on
ગુજરાતના વરિષ્ઠ પ્રધાન ગણપત વસાવાએ પુલવામા આતંકી હુમલા પર તીખા પ્રત્યાઘાત આપતા પાકિસ્તાન સામે પોતાનો પિત્તો ગુમાવી દીધો.
વન, આદિવાસી વિકાસ અને પર્યટન પ્રધાન ગણપત વસાવાએ સુરતમાં એક જાહેરસભા દરમિયાન કહ્યું કે પહેલા ભારતમાં લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા થવી જોઇએ. વસાવાએ કહ્યું, ‘જેવા સાથે તેવા થવું પડશે. લોકસભા ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં પણ એક શોકસભા થવી જોઇએ.’
ચૂંટણી રોકી દો, પાકિસ્તાનને ઠોકી દો
ગણપત વસાવાએ કહ્યું, ‘અત્યારે ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠીકો દો. જો સામાન્ય ચૂંટણીમાં બે મહિનાનો વિલંબ થાય, તો પણ ઠીક છે, પરંતુ પાકિસ્તાનને એક બોધપાઠ ભણાવવો જોઇએ. આપણા 125 કરોડ ભારતીયો ઇચ્છે છે કે આપણા સશસ્ત્ર દળો આવું કંઇક કરે. આપણે પોતાના સૈનિકોની શહાદતનો બદલો ચોક્કસ લઇશું. આપણને આપણઆ જવાનો પર પૂરો ભરોસો છે.’