કોરોનાકાળમાં લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનો પ્રભાવ ઘટતો જોવા મળી રહ્યો છે. ત્રણ મહિના બાદ સતત બીજા દિવસે રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 1 હજારની નીચે આવ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 908 પોઝિટિવ કેસ નોંધાયા, તો કોરોનાથી માત્ર 4 દર્દીઓના મોત સરકારી ચોપડે નોંધાયા છે. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 68 હજારને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,693 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 51 હજાર લોકોના ટેસ્ટ કરાયા, જ્યારે 1,102 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 50 હજાર 650 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો, તો હજુ પણ 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
આ પણ વાંચો: કેટલા વર્ષો પહેલા થઈ હતી કળિયુગની શરૂઆત? અને કેટલા વર્ષો પછી થશે અંત?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કળીયુગના અંતિમ સમયે વ્યક્તિ 16 વર્ષની વયે વૃદ્ધ થઈ જશે તથા 20 વર્ષની આયુએ તેનું મૃત્યુ થશે. આ પૃથ્વીનો વિનાશ કોઈ પ્રલય, વાવાઝોડું, ભૂકંપ વગેરે જેવી પ્રાકૃતિક આફતોના કારણે નહી પરંતુ, વધતા જતા ગરમીના પ્રમાણ ને લીધે થશે. કળિયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં પૃથ્વી પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે, લોકો માટે સહન કરવું અશકય બનશે.