સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદથી 20,000નું સ્થળાંતર, SDRFની 11 ટીમ કામગીરીમાં જોતરાઈ

|

Jul 07, 2020 | 7:40 AM

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠો ધરાવતા જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે હવે મુશ્કેલી ઊભી થવા પામી છે. હવામાન વિભાગે પણ હજુ પણ વરસાદનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરતા, વહીવટીતંત્રે હવે રાહત અને બચાવની કામગીરી શરુ કરી દિધી છે. જેના ભાગરૂપે 20,000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યુ છે. સતત વરસી રહેલા વરસાદથી કેટલાક […]

સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદથી 20,000નું સ્થળાંતર, SDRFની 11 ટીમ કામગીરીમાં જોતરાઈ

Follow us on

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠો ધરાવતા જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે હવે મુશ્કેલી ઊભી થવા પામી છે. હવામાન વિભાગે પણ હજુ પણ વરસાદનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરતા, વહીવટીતંત્રે હવે રાહત અને બચાવની કામગીરી શરુ કરી દિધી છે. જેના ભાગરૂપે 20,000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યુ છે. સતત વરસી રહેલા વરસાદથી કેટલાક જિલ્લાની નાની મોટી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકા અને ખંભાળિયા તાલુકા તેમજ જામનગર, મોરબી અને પોરબંદર જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તાર, નદીકાંઠે રહેતા 20,000 લોકોનુ સ્ટેટ ડીઝાસ્ટર રેસ્કયુ ફોર્સ (SDRF)ની મદદથી વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરાવ્યું છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં એસડીઆરએફની 11 ટીમની મદદથી 20,000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થિતિ કથળે નહી તે માટે જિલ્લાકક્ષાના ડીઝાસ્ટર એકમને અને જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીઓને સતર્ક કરી દેવાયા છે. જુઓ વિડીયો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article