રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર તસ્કરોએ લાભપાંચમે કરેલા મૂહર્તમાં 10 લાખ રોકડા અને 29 તોલા સોનાના દાગીના હાથ લાગ્યા છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ નગરમાં શેરી નંબર 3માં આવેલા મકાનમાં ચોરી થઈ છે. રામકૃષ્ણ નગર રાજકોટના પોશ વિસ્તારોમાં ગણાય છે. આ વિસ્તારમા થયેલી ચોરીને કારણે લોકોમાં ભય ફેલાયો છે. દિવાળીના પર્વમાં લોકો એકબીજાના ઘરે જતા હોય કે હરવાફરવા જતા હોય ત્યારે પોલીસે રાત્રી પેટ્રોલિગ વધારવુ જોઈએ તેવી માંગ પણ ઊઠી છે. રાજકોટ પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. જો કે પોલીસને હજુ સુધી કોઈ ફળદાયી કડી હાથ લાગી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો