નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) પોતાની શાનદાર એક્ટિંગને કારણે દર્શકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં જ સિરિયસ મેન (Serious Men) સુપરસ્ટાર નવાઝુદ્દીનને તેમના શાનદાર અભિનય માટે આંતરરાષ્ટ્રીય EMMY માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકીએ આ જગ્યા સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે, તેમને આ બધું ચાંદીના ચમચામાં રાખીને મળ્યું નથી. બોલિવૂડ પર ઘણીવાર નેપોટિઝમનો આરોપ લાગ્યો છે. પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે બોલીવુડમાં નેપોટિઝમ કરતાં મોટી સમસ્યા નસ્લવાદ (Racism) છે. તેમનું માનવું છે કે તેમણે આની સામે ઘણા વર્ષો સુધી લડાઈ લડી છે.
‘સિરિયસ મેન’માં નવાઝુદ્દીન સાથે ઈન્દિરા તિવારી (Indira Tiwari) તેમના કો-સ્ટાર હતા. ઈન્દિરા તિવારી વિશે એક સાઈટ સાથે વાત કરતા નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે ઈન્દિરા તિવારી ખૂબ જ તેજસ્વી અભિનેત્રી છે અને તેમને આશા છે કે ભવિષ્યમાં ઈન્દિરાને બીજી મુખ્ય ભૂમિકા મળશે.
પરંતુ તેમણે એમ પણ કહ્યું કે અમારી ઈન્ડસ્ટ્રીમાં એટલો વધારે નસ્લવાદ (Racism) છે કે જો ફરીથી ઈન્દિરા તિવારીને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવે તો તેઓ ખૂબ ખુશ થશે. નિર્માતા સુધીર મિશ્રાની પ્રશંસા કરતા નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે કે તેમને સિનેમા વિશે અપાર જ્ઞાન છે અને ખૂબ જ વ્યવહારીક રીતે વિચારે છે. એટલા માટે તેમણે ઈન્દિરા તિવારીને હિરોઈન તરીકે લીધી.
નસ્લવાદ અંગે નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે કે મેં ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં તેની સામે લડત આપી હતી. ઘણા વર્ષો સુધી મને માત્ર એટલા માટે નકારવામાં આવતો હતો કારણ કે હું દેખાવમાં સારો ન હતો. ફિલ્મ ઉદ્યોગમાં એક પૂર્વગ્રહ છે જે સારી ફિલ્મો બનાવવામાં અવરોધ બને છે. તેથી તેને સમાપ્ત કરવાની જરૂર છે. સિરિયસ મેનમાં ઈન્દિરા તિવારીના આગમન બાદ નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે મને પૂરેપૂરી આશા છે કે હવે ગહેરા રંગની અભિનેત્રીઓને પણ હિરોઈન બનાવવામાં આવશે.
આ પણ વાંચો :- શું સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી કાયમ માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ ગિલ? જાણો શું છે સત્ય
આ પણ વાંચો :- Drugs Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યનને સતીશ માનશિંદે ન અપાવી શક્યા જામીન, હવે આ વકીલ લડશે કેસ
Published On - 11:43 pm, Tue, 12 October 21