TMKOC: દયા ભાભી કેમ પરત આવ્યા સેટ પર ? ભીડે કઇ રીતે કરશે ઓનલાઇન ક્લાસીસની સમસ્યાનું સમાધાન? વાંચો આ પોસ્ટ

|

Apr 27, 2021 | 3:31 PM

ભીડે લૉકડાઉનના નિયમોનું પાલન કરતાં બધાં વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવી રહ્યા છે. પરંતુ બાળકોનું ધ્યાન સંપૂર્ણપણે ભણવામાં નથી લાગી રહ્યુ

TMKOC: દયા ભાભી કેમ પરત આવ્યા સેટ પર ? ભીડે કઇ રીતે કરશે ઓનલાઇન ક્લાસીસની સમસ્યાનું સમાધાન? વાંચો આ પોસ્ટ
ભીડે બાળકોને ભણાવતા

Follow us on

ટેલિવિઝનનો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) માં શિક્ષક ભીડે (Bhide) લૉકડાઉનના કારણે પરેશાન થઇ ગયો છે. ટ્યુશન ક્લાસીસ ઓનલાઇન થવાને કારણે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. ભીડેએ હાલમાં ઓનલાઇન ક્લાસીસના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

ખરેખર, ભીડે લૉકડાઉનના નિયમોનું પાલન કરતાં બધાં વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવી રહ્યા છે. પરંતુ બાળકોનું ધ્યાન સંપૂર્ણપણે ભણવામાં નથી લાગી રહ્યુ અને ઓનલાઇન ક્લાસ ચાલતા હોવાને કારણે ભીડે બાળકોના આ વ્યવહારને રોકી નથી શક્તો, તેમનું કહેવુ છે કે બાળકોની સમસ્યાનું સમાધાન કરવવામાં તેમનો બધો સમય અને બધી ઉર્જા બરબાદ થઇ રહી છે અને તે ધીરે ધીરે પોતાની ધીરજ ગુમાવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પર ખૂબ ગુસ્સો પણ કરી રહ્યો છે

કેટલાક દિવસો પહેલા તો તેણે ગોકુલધામ વાસીઓને પોતાના પ્રોફેશન છોડવાનો નિર્ણય કહી દીધો હતો. બધા સદસ્યો આ વાત સાંભળીને હેરાન રહી ગયા હતા અને કોઇ પણ હિસાબે ભીડે ને આ નિર્ણય લેવાથી રોકી લેવામાં આવ્યો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હવે કઇ રીતે ભીડે ઓનલાઇન ક્લાસીસની સમસ્યાનું લાવશે નિરાકરણ ? શું ભીડે આ જ રીતે હેરાન થતો રહેશે કે પછી આવશે તેની સમસ્યાનું સમાધાન ? તેનો જવાબ તો આવનારા એપિસોડમાં જ મળશે

દયા ભાભી જોવા મળ્યા સેટ પર

શોમાં દર્શકોનું દિલ જીતી ચુકેલી દયાબેન એટલે કે દિશા વાકાણી લાંબા સમયથી ગાયબ છે. દયાબેન પરત ફરવાને લઇને ઘણી વાર સમાચારે પણ સામે આવ્યા, પરંતુ અંતમાં ખબર આવી કે દયાબેન શો માંથી બહાર નિકળી ગઇ છે. હવે થોડા દિવસ પહેલા દિશા સેટ પર જોવા મળી હતી જેનાથી બધાને લાગ્યુ કે દિશા પરત ફરી રહી છે

પરંતુ સચ્ચાઇ એ છે કે દિશા શોના સેટ પર કલાકારોને મળવા માટે આવી હતી કારણ કે તે બધાને મીસ કરી રહી હતી. સેટ પર દિશાને જોઇને બધા ખુશ થઇ ગયા અને સેટ પર માહોલ એકદમ આનંદમય બની ગયો હતો. દિશાને લઇને શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ કહ્યુ હતુ કે હવે એ પરિસ્થિતી નથી કે દયાબેનને શોમાં પરત લાવી શકાય. આગામી 2 કે 3 મહિનામાં કેટલાક બદલાવ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે જેના માટે દર્શકોનું સમર્થન જોઇશે

Next Article