TMKOC: મુનમુન દત્તાએ શોને નથી કહ્યો ‘અલવિદા’, બબીતા ​​જીએ ફરીથી શરુ કર્યું શૂટિંગ

|

Aug 24, 2021 | 10:07 PM

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તા વિશે થોડાક દિવસોથી સમાચાર હતા કે તેમણે શો છોડી દીધો છે, જેના કારણે ચાહકો ખૂબ નિરાશ થયા હતા.

TMKOC: મુનમુન દત્તાએ શોને નથી કહ્યો અલવિદા, બબીતા ​​જીએ ફરીથી શરુ કર્યું શૂટિંગ
Munmun Dutta. (Babita Ji)

Follow us on

ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) થી 2 મહિનાથી બબીતા ​​જી (Babita Ji) એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) ગાયબ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં શોના આગામી એપિસોડમાં જોવા મળશે. મુનમુને આ શોનું શૂટિંગ 2-3 દિવસ પહેલા શરૂ કર્યું છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો આગામી ટ્રેક વેક્સિનેશન પ્રક્રિયા અને રોગચાળામાં મુનમુન દત્તાને વેક્સિન લાગશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જ્યારે મુનમુન શોમાંથી ગાયબ દેખાયા ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે તેમણે શો છોડી દીધો છે.

મુનમુનનો શો છોડવાનું કારણ વિવાદ હોવાનું જણાવ્યું હતું જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ખરેખર, મુનમુને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. મુનમુનનો આ વીડિયો વાયરલ થયા બાદ અભિનેત્રીની ધરપકડ કરવાની માંગ ઉઠી હતી. આ વિવાદ બાદ જ મુનમુન શોમાંથી ગાયબ જોવા મળી હતી, ત્યારબાદ તેના શો છોડવાના સમાચાર આવ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

મુનમુને શોમાં ન દેખાવા માટે જણાવ્યું હતું આ કારણ

જોકે બાદમાં અભિનેત્રીએ તે શબ્દનો ઉપયોગ કરવા બદલ માફી માંગી હતી. પણ પછી સમાચાર આવવા લાગ્યા કે મુનમુન હવે શોમાં પરત નહીં આવે. શોમાંથી ગુમ થયા પછી, બબિતાએ ફરી એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અત્યારે જે ટ્રેક ચાલી રહ્યો છે તેમાં તેની જરૂર નથી, તેથી તે દેખાતી નથી. મુનમુને કહ્યું હતું કે, મેં શો છોડ્યો નથી. અત્યારે જે ટ્રેક ચાલી રહ્યો છે તેમાં મારી હાજરીની જરુરીયાત નહોતી. તેથી જ મને શૂટ માટે બોલાવવામાં આવી ન હતી. જ્યારે મને પ્રોડક્શન તરફથી ફોન આવશે, ત્યારે હું ચોક્કસ જઈશ.

શોના નિર્માતાઓએ શું કહ્યું

જ્યારે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ મુનમુન પરત ફરતા કહ્યું હતું કે, મુનમુન વર્ષોથી અમારી ટીમનો ભાગ છે અને તેના શો છોડવાના સમાચાર ખોટા છે. તેણે શોનું શૂટિંગ શરુ કરી દીધું છે અને ટૂંક સમયમાં તમને આગામી એપિસોડમાં જોવા મળશે. અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી અને દરેક વ્યક્તિ કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો :- Ponniyin Selvan : ફિલ્મમાંથી ઐશ્વર્યા રાય બચ્ચનનો લૂક થયો લીક, આ અવતારમાં જોવા મળી અભિનેત્રી

આ પણ વાંચો :- Sushmita Sen એ ખુબ શાનદાર રીતે કર્યું ભાભીનું શ્રીમંત, Photosમાં જુઓ અભિનેત્રીની સુંદર શૈલી

 

Next Article