Throwback: શું તમે જાણો છો કે Sushant Singh Rajput આ ત્રણ લોકો સામે માથું નમાવતા, જુઓ વીડિયો

|

Jul 22, 2021 | 11:16 PM

ચાલો તમને જણાવી દઈએ કે હિટ સીરિયલ પવિત્ર રિશ્તામાં માનવ દેશમુખ તરીકે ઘર ઘરમાં ઓળખ મેળવનાર સુશાંત ટીવી સીરિયલ 'કિસ દેશ મેં હૈ મેરા દિલ મેં' માં કામ કર્યું હતું.

Throwback: શું તમે જાણો છો કે Sushant Singh Rajput આ ત્રણ લોકો સામે માથું નમાવતા, જુઓ વીડિયો
Sushant Singh Rajput

Follow us on

બોલિવૂડનાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (sushant singh rajput) 14 જૂન 2020 ના રોજ આ દુનિયાને કાયમ માટે વિદાય આપી હતી. સુશાંત મુંબઇમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બધાને છોડીને ગયેલા અભિનેતાને એક વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે, પરંતુ સુશાંત હજી પણ તેમના ચાહકોમાં જીવંત છે.

કિસ દેશ મેં હૈ મેરા દિલ (Kis Desh Mein Hai Meraa Dil) સાથે કારકિર્દીની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂતના ચાહકો સોશિયલ મીડિયા પર તેમના જુની વીડિયો શેર કરતા રહે છે. આવી સ્થિતિમાં અભિનેતાનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સુશાંત સિંહનો ખાસ વીડિયો

સુશાંતના જે વીડિયો વાયરલ થાય છે તે અભિનેતાની ફિલ્મના પ્રમોશનથી લઈને અંગત સમય પસાર કરવા સુધીના હોય છે. આવી સ્થિતિમાં હવે જે વીડિયો સામે આવ્યો છે તે ફિલ્મ શુદ્ધ દેશી રોમાંસ ફિલ્મના પ્રમોશન દરમિયાનનો છે.

ફિલ્મ શુદ્ધ દેશી રોમાંસ (Shuddh Desi Romance) માં સુશાંત સાથે પરિણીતી ચોપરા (Parineeti Chopra) મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આવી સ્થિતિમાં, તે પરિણીતિ સાથે ઝલક દિખલા જાના સેટ પર પ્રમોશન માટે પહોંચ્યા હતા. અહીં અભિનેતાએ રોમેન્ટિક રીતે કહ્યું હતું કે તેમનું માથું કોણ ત્રણ લોકો સામે નમે છે.

જી હા, માધુરી દીક્ષિત (Madhuri Dixit) ની સામે ઉભા રહીને સુશાંત સિંહ કહે છે કે મારું માથુ ફક્ત ત્રણ જ લોકોની સામે નમે છે, એક દેવી માં, બીજી મારી માતા અને ત્રીજી માં..ધુરીની સામે…માધુરીનું નામ લઈને તેઓ ઘુટણો પર બેસી જાઈ છે.

 

 


જ્યારે તે આ કહે છે ત્યારે માધુરી દીક્ષિત શરમાતી જોવા મળે છે. તે જ સમયે, ત્યાં હાજર કરણ જોહર અને પરિણીતી પણ હસતાં જોવા મળે છે. સુશાંત સિંહની આ ખાસ સ્ટાઇલ ચાહકોને ફરીથી પસંદ આવી રહી છે. ખરેખર, સુશાંત પણ ઝલક દિખલા જા (Jhalak Dikhhla Jaa) માં એક સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા, ત્યારે પણ માધુરી શોમાં જજની ભૂમિકામાં હતા.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતને કારકિર્દીમાં ઓળખ જીટીવીના શો પવિત્ર રિશ્તા (Pavitra Rishta) થી મળી હતી. આ શોમાં સુશાંત માનવની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ચાહકો આજે પણ સુશાંતની માનવી ભૂમિકાને ભૂલી શક્યા નથી. સુશાંતના મોતને હવે એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે.

Next Article