કાર્તિક આર્યનથી લઈને અનુષ્કા શર્મા સુધી, આ સેલેબ્સ સાથે કામ કરવાની કરણ જોહરે પાડી દીધી હતી ના

|

Apr 18, 2021 | 4:40 PM

તાજેતરમાં ધર્મા પ્રોડક્શન દ્વારા કાર્તિક આર્યનને દોસ્તાના 2 ફિલ્મમાંથી કાઢી દેવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ આ અગાઉ કયા કયા સ્ટાર્સને કરણે કરેલા છે રિજેક્ટ.

કાર્તિક આર્યનથી લઈને અનુષ્કા શર્મા સુધી, આ સેલેબ્સ સાથે કામ કરવાની કરણ જોહરે પાડી દીધી હતી ના
(File Image)

Follow us on

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં ચર્ચામાં છે. કાર્તિક આર્યનને કરણ જોહરની ધર્મા પ્રોડક્શન ફિલ્મ દોસ્તાના 2 માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સમાચારો અનુસાર, કાર્તિકના વ્યવસાયિક વલણને જોતાં પ્રોડક્શને આ નિર્ણય લીધો છે. જોકે, કાર્તિક આર્યન દ્વારા હજી સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પણ અડધી ફિલ્મના શૂટિંગ પછી અચાનક મુખ્ય અભિનેતાને ફિલ્મમાંથી હટાવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

કાર્તિક આર્યન એ પહેલો અભિનેતા નથી જેની સાથે કરણ જોહરે આ કામ કર્યુ છે. આ પહેલા પણ ઘણા બોલીવુડ સેલેબ્સને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નકારી કાઢીને બોયકોટ કરવામાં આવ્યા છે. તેમાં સુશાંત સિંહ રાજપૂત સાથે આયુષ્માન ખુરાના અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ છે.

સુશાંતસિંહ રાજપૂત

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સુશાંત સિંહ રાજપૂતના ગયા બાદ એવા ઘણા સમાચાર આવ્યા હતા કે તેમના મૃત્યુનું એક કારણ ઇન્ડસ્ટ્રીનો ભત્રીજાવાદ છે. જેનો ભોગ બનેલા સુશાંતનું મોત નીપજ્યું હતું. સુશાંત ધર્મા પ્રોડક્શન ફિલ્મ ડ્રાઈવમાં જેક્લીન ફર્નાન્ડિઝ સાથે દેખાયો હતો. જે નેટફ્લિક્સ પર રીલિઝ થઈ હતી. એવા અહેવાલો છે કે આ ફિલ્મ અંગે કરણ જોહર અને સુશાંત વચ્ચે ઝઘડો થયો હતો અને તેને ધર્મ પ્રોડક્શન્સ દ્વારા બેન કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે હજી કંઈપણ સત્તાવાર જાહેરાત નથી.

આયુષ્માન ખુરાના

ધર્મા પ્રોડક્શન્સ દ્વારા આયુષ્માન ખુરનાને કામ કરવાની ના પાડવામાં આવી હતી. અભિનેતાએ ખુદ કોફી વિથ કરણ શોમાં આ કહ્યું હતું. આયુષ્માનને કહ્યું હતું કે તે સમયે તે આરજે હતો. એક ઇન્ટરવ્યૂ પછી, કરણે તેને તેની ઓફિસનો લેન્ડલાઇન નંબર આપ્યો, પરંતુ બીજા દિવસે જ્યારે આયુષ્માન એ નંબર પર ફોન કર્યો ત્યારે કરણ ઓફિસમાં નહોતો. થોડા દિવસો વિલંબ કર્યા પછી, આયુષ્માનને એમ કહીને નકારી કાઢવામાં આવ્યો કે ધર્મા પ્રોડક્શન ફક્ત સ્ટાર્સ સાથે જ કામ કરે છે. આયુષ્માને સોશિયલ મીડિયા પર પણ આ બાબત પોસ્ટ કરી હતી.

અનુષ્કા શર્મા

ધર્મા પ્રોડક્શન્સ દ્વારા અનુષ્કા શર્માને પણ નકારી કાઢવામાં આવી હતી. તેણે પણ ખુદ કોફી વિથ કરણ શોમાં આ કબૂલ્યું હતું. કરણે આ શોમાં કબૂલાત કરી હતી કે તેણે અનુષ્કા શર્માને તેની કારકિર્દીની શરૂઆતમાં નકારી દીધી હતી. નામંજૂર થવાનું કારણ અનુષ્કાનો લુક હતો જે કરણને પસંદ નહોતો. અનુષ્કાનો ઓડિશન વીડિયો જોયા પછી કરણે તેની ટીમને કહ્યું કે અમે આ છોકરીને લઈ શકીએ નહીં. જો કે, ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ પછી, બંને વચ્ચે નારાજગી દુર થઇ ગઈ હતી.

 

આ પણ વાંચો: તારક મહેતાનો એનિમેટેડ શો 19 એપ્રિલથી થશે શરૂ, જાણો કેટલા વાગે અને ક્યાં જોઈ શકાશે

Next Article