ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી સામેના ચેક રીટર્ન કેસમાં પડી રહી છે તારીખ પે તારીખ ! રાજકોટમાંથી કરવામાં આવ્યો છે કેસ

Rajkumar Santoshi વિરુદ્ધ રાજકોટના એક બિલ્ડરે વર્ષ 2013માં ચેક રીટર્ન થવાનો કેસ દાખલ કર્યો છે.

ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી સામેના ચેક રીટર્ન કેસમાં પડી રહી છે તારીખ પે તારીખ ! રાજકોટમાંથી કરવામાં આવ્યો છે કેસ
The cheque return case against filmmaker Rajkumar Santoshi is being delayed
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:33 PM

RAJKOT : ‘દામિની’ ફિલ્મનો એક પ્રખ્યાત ડાયલોગ છે તારીખ પે તારીખ …તારીખ પે તારીખ..! આ ડાયલોગ અત્યારે આ ફિલ્મના નિર્માતા રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)ને જ લાગુ પડી રહ્યો છે. બોલિવુડના જાણીતા લેખક-નિર્માતા રાજકુમાર સંતોષી આજે ચેક રિર્ટન થવાના કેસમાં કોર્ટમાં હાજર રહ્યા હતા.

5 કરોડનો ચેક રીટર્ન થયો હતો વર્ષ 2013માં રાજકોટના એક બિલ્ડરે 5 કરોડ રૂપિયા જેટલી રકમ રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)ને આપી હતી બદલામાં સંતોષીએ એક ચેક તેમને આપ્યો હતો. જ્યારે બિલ્ડરે આ ચેક જમા કરાવ્યો ત્યારે તે રિટર્ન થયો હતો જેના કારણે રાજકોટની કોર્ટમાં ફરિયાદ થઇ હતી.આજે કોર્ટે મોકલેલ સમન્સને આધારે રાજકુમાર સંતોષી નેગોશિએબલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જો કે ત્યાંના ન્યાયાધીશ રજા પર હોવાથી માત્ર હાજરી પુરી હતી અને કોર્ટે વધુ સૂનવણી 5 ઓક્ટોબરે હાથ ધરવાનો હુક્મ કર્યો છે.

2013 થી રાજકોટના બિલ્ડર સાથે ચાલે છે વિવાદ મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જગત સાથે સંકળાયેલા રાજકોટના બિલ્ડરે વર્ષ 2013 માં હાથ ઉછીના પેટે 5 કરોડ રૂપિયા જાણીતા લેખક-નિર્માતા રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)ને આપ્યા હતા, જેના જામીન પેટે એક ચેક પણ આપ્યો હતો. ત્યાર બાદ અવારનવાર રૂપિયા પરત માંગવા છતા આપવામાં આવ્યા ન હતા અને અંતે બિલ્ડરે ચેક બેંકમાં ક્લીયરીંગ માટે આપતા તે રિટર્ન થયો હતો અને જેના આધારે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફલાઇટ રદ્દ થતા સવારે પહોંચ્યા રાજકોટ કોર્ટ મુદ્દતે આવવા માટે રાજકુમાર સંતોષી શુક્રવારે રાત્રે મુંબઇથી નીકળ્યા હતા પરંતુ તેમની ફલાઇટ રદ્દ થઇ હતી. જે બાદ તેઓ સવારની ફલાઇટમાં રાજકોટ આવ્યા હતા અને કોર્ટમાં હાજર રહ્યા હતા.રાજકુમાર સંતોષીના વકીલ તરીકે બિનેસ પટેલ જ્યારે બિલ્ડરના વકીલ તરીકે પ્રવિણ કોટેચા રોકાયા છે.

રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)એ અનેક ફિલ્મના નિર્માતા છે. તેમણે અંદાજ અપના અપના,દામિની,ઘાયલ,ખાખી,ચાઇના ગેઇટ,અજબ પ્રેમ કી ગજબ કહાની સહિત અનેક ફિલ્મો તૈયાર કરી છે.

આ પણ વાંચો : Surat: ખાનગી હોસ્પિટલમાં જે સારવારનો ખર્ચ થાય છે લાખોમાં, તે સારવાર ફ્રીમાં કરી સુરત સિવિલના તબીબોએ બચાવ્યો બાળકનો જીવ

આ પણ વાંચો : ભારતીય વાયુસેનાના SWAC હેડક્વાર્ટર દ્વારા કુદરતી કૃષિ-ખેતીવાડીના પ્રોત્સાહન માટે પ્રદર્શન સાથે વેચાણનું આયોજન કરવામાં આવ્યું

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">