Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક, પત્નીએ કહ્યું તે આ લડાઈ જીતશે

|

Aug 19, 2022 | 9:18 AM

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક છે. આખો દેશ તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યો છે.

Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક, પત્નીએ કહ્યું તે આ લડાઈ જીતશે
રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક, પત્નીએ કહ્યું તે આ લડાઈ જીતશે
Image Credit source: Instagram

Follow us on

Raju Srivastava : મશહુર કૉમેડિયન (Comedian)રાજુ શ્રીવાસ્તવની હાલત ખુબ ગંભીર છે. રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેને હજુ સુધી હોંશ આવ્યો નથી. તે હાલમાં વેન્ટિલેટર પર છે. કહેવામાં આવી રહ્યું છે કે,રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)નું બ્રેન ડેડ થઈ ગયું છે. જેને લઈ તેની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. રાજુ શ્રીવાસ્તવના સંબંધીઓ દિલ્હી પહોંચી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે, રાજુ શ્રીવાસ્તવનું સ્વાસ્થ ધીમે ધીમે સારું થઈ રહ્યું છે.

રાજુ શ્રીવાસ્તવ લડાઈ જરુર જીતશે

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખાએ ચાહકોને હિંમત આપી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજુ શ્રીવાસ્તવની પત્નીએ કહ્યું કે, તેનું સ્વાસ્થ સ્થિર છે. ડોક્ટર તરફથી તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેને વિશ્વાસ છે કે, રાજુ શ્રીવાસ્તવ આ લડાઈ જરુર જીતશે. હું એટલુ કહી શકુ કે તે તમારા મનોરંજન માટે જલ્દી જોવા મળશે. રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થયને લઈ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.તેમની પત્નીએ આગળ કહ્યું કે, મારા બધા લોકોને વિનંતી છે કે તેમની પ્રાર્થના ચાલુ રાખો.રાજુ શ્રીવાસ્તવની પત્નીએ કહ્યું કે, સંઘર્ષની સાથે આપણે રાહ જોવી પડશે અને ધીરજ રાખવી પડશે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને અફવાઓ ફેલાવવાનું બંધ કરો.

દેશભરમાં તેમના માટે પ્રાર્થના શરુ

તમને જણાવી દઈએ કે, ગુરુવારના રોજ તેના સ્વાસ્થયને લઈ સમાચાર સામે આવ્યા હતા. ત્યારથી જ તેના ચાહકો તેના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આખો દેશ તેમની માટે પ્રાર્થના કરી રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવ 58 વર્ષના છે. તેને જ્યારે હદય રોગ નો હુમલો આવ્યો તે સમયે તેઓ વર્કઆઉટ કરી રહ્યા હતા.કોમેડિયન હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા છે. સ્ટેન્ડઅપ કોમેડીથી ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. પોતાની મહેનતના દમ પર રાજુ શ્રીવાસ્તવ આ મુકામ પર પહોંચ્યા છે. એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવ આજે આલીશાન મકાનમાં રહે છે

Next Article