
રૈપર બાદશાહ અને તેની પૂર્વ પત્ની ઈશા રિખીના સંબંધો લાંબા ચાલ્યા નથી. બંનેના લગ્ન 5 મહિનામાં છુટાછેડા થયા છે. બંને અલગ થવાની ઓફિશિયલ જાહેરાત કરી ચૂક્યા છે. ઈશા રિખી હાલમાં બિગ બોસ 20માં છે. શો શરુ થયો ત્યારે તેમણે કહ્યું હતુ કે, તે સંબંધોને લઈ વાતચીત કરશે નહી. થોડા દિવસ પછી ઈશાએ છુટાછેડા કરવાનું કારણ જણાવ્યું હતુ. આમ તો ઈશાએ કનિકાનું ઉદાહરણ આપી સમજાવ્યું હતુ.પરંતુ સંબંધો તુટવા પાછળ બાદશાહનું કારણ છે.
પંજાબી અભિનેત્રી અને બિગ બોસ 20 સ્પર્ધક ઈશા રિખીએ સંબંધ અને લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો છે. ઈશાએ જણાવ્યું કે, સંબંધ દરમિયાન તેમને કેવા પ્રકારનું દુખ સહન કર્યું અને તેને વિશ્વાસઘાત સહન કરવો પડ્યો. જ્યારે તે આ સંબંધમાં હતી, ત્યારે વસ્તુઓ એવી નહોતી જેવી લાગતી હતી. તેને જૂઠું બોલવામાં આવ્યું હતું અને લાંબા સમય સુધી ટોક્સિક વાતાવરણમાં રહી હતી.
બિગ બોસ 20ના હાલના એક એપિસોડમાં ઈશાએ કનિકાને લગ્નને લઈ વાત કરતી જોવા મળી હતી. તે કહે છે કે, જો કોઈ આવી મને કહે કે, કનિકા આવી છે. તો હું ત્યાં સુધી તેની વાત પર વિશ્વાસ કરીશ નહી. જ્યાં સુધી હું મારી આંખે ના જોઈ લઉં. હું આવી જ છું. સંબંધોના મામલે પણ મારું વર્તન આવું છે. જો કોઈ મને આવી કાંઈપણ કહે તો હું તેને કહીશ. કાં તો મને પુરાવા આપ અથવા મારા મગજ સાથે રમવાનું બંધ કરી દે. ત્યારબાદ ઈશાએ ઈશારો કર્યો કે, ભલે સંબંધો દરમિયાન તેને કોઈ શક થયો હોય પરંતુ તેમણે ત્યાં સુધી એ વાત પર વિશ્વાસ ન કર્યો જ્યાં સુધી હું તે વસ્તુ જોઈ ના લઉં.
તે આગળ કહે છે. જ્યારે સંબંધો પૂર્ણ થાય છે.પછી તમને ખ્યાલ આવે છે કે તમે આખો સમય છેતરપિંડીનો ભોગ બની રહ્યા છો. જ્યારે કનિકાએ તેને પૂછ્યું કે તેમણે કયા પ્રકારના વિશ્વાસઘાતનો સામનો કર્યો? શારીરિક, ભાવનાત્મક કે સામાજિક? ત્યારે ઈશાએ જવાબ આપતા પહેલા બંધ થઈ ગઈ, “બધા.”
ઈશાએ કહ્યું: “વચ્ચે અટવાઈ જવું ખૂબ જ ટોક્સિક હોય છે. એવું લાગે છે કે હું તમને ખાતરી આપી રહી છું કે તમે મારા બેસ્ટ મિત્ર છો. હું તમારી સાથે બેસ્ટ મિત્રની જેમ વર્તી રહી છું. હું તમને શ્રેષ્ઠ મિત્રની જેમ સ્થળોએ લઈ જઈ રહી છું, પરંતુ પછી તમને ખબર પડે છે કે તમે ખરેખર ક્યારેય મારા બેસ્ટ મિત્ર નહોતા. તેનો પરિચય તેના જીવનસાથીના સામાજિક વર્તુળમાં દરેક સાથે થયો ન હતો, પરંતુ ફક્ત થોડા જ લોકો સાથે થયો હતો.