લેખક-ગીતકાર પ્રફુલકરે 83 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

|

Apr 18, 2022 | 9:59 AM

વડાપ્રધાન મોદીએ (PM Modi) લખ્યું કે, 'પ્રફુલ કરજીના નિધનથી દુઃખી, તેમને ઓડિસી સંસ્કૃતિ અને સંગીતમાં તેમના અગ્રેસર યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.

લેખક-ગીતકાર પ્રફુલકરે 83 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
song writer prafulkar passed away

Follow us on

મહાન સંગીતકાર, ગાયક, લેખક અને ગીતકાર પ્રફુલકર (Prafulla Kar passed away) હવે આપણી વચ્ચે નથી રહ્યા. સુપ્રસિદ્ધ કલાકાર પ્રફુલ કરનું રવિવારે રાત્રે નિધન થયું છે.પરિવારના જણાવ્યા અનુસાર પ્રફુલકર (Prafulla Kar) તેની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતા અને હૃદયરોગના હુમલાને કારણે તેનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે, પ્રફુલકરને ઓડિસી સંસ્કૃતિના સંરક્ષક અને ગૃહસ્થ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઓડિસી ઉદ્યોગમાં જાણીતા વ્યક્તિ હતા.

PM મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે ફિલ્મ જગતની (Film Industry) અનેક મોટી અને જાણીતી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. પોતાના ટ્વિટમાં શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું કે, ‘પ્રફુલ કરજીના નિધનથી દુઃખી, તેમને ઓડિયા સંસ્કૃતિ અને સંગીતમાં તેમના અગ્રેસર યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેઓ બહુમુખી વ્યક્તિત્વથી સંપન્ન હતા અને તેમની રચનાત્મકતા તેમના કામમાં દેખાતી હતી. આ સાથે PM એ તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

સિકંદર આલમ મેમોરિયલ એવોર્ડથી પણ સન્માનિત

તેમના અંતિમ સંસ્કાર સોમવારના રોજ સ્વર્ગદ્વાર ખાતે કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યુ છે. કરના પરિવારમાં તેમની પત્ની મનોરમા કર અને તેમના ત્રણ બાળકો મહાપ્રસાદ કર, સંધ્યાદીપ કર અને મહાદીપ કર છે.તમને જણાવી દઈએ કે, પ્રફુલ કરનો જન્મ 16 ફેબ્રુઆરી, 1939ના રોજ થયો હતો. 2015 માં તેમને કલામાં તેમના યોગદાન માટે, પદ્મશ્રી, ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તે બાદ જયદેવ એવોર્ડ વિજેતાને 2019 માં મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા બીજા સિકંદર આલમ મેમોરિયલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.એટલું જ નહીં, પ્રફુલકરે 70 થી વધુ ફિલ્મોમાં પોતાનું સંગીત આપ્યું છે. આ ઉપરાંત તેણે સેંકડો ફિલ્મ, રેડિયો અને મ્યુઝિક આલ્બમ માટે ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Iftar Party : બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સલમાન, શાહરૂખ સહિત આ બોલિવૂડ સેલિબ્રિટીઓ થયા સામેલ, જુઓ PHOTOS

Next Article