ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આ દિવસોમાં ઘણા કારણોસર ચર્ચામાં છે. એક તરફ જ્યા શ્વેતા તેમની કારકિર્દીને નવો વળાંક આપવા માટે રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 11’ નો ભાગ બનવા માટે કેપટાઉન ગઈ છે, તો બીજી તરફ તે તેમના બીજા એક્સ પતિ અભિનવ કોહલી અને પુત્ર રેયંશને કારણે સમાચારોમાં છે.
આ બધાની વચ્ચે શ્વેતા તિવારીના પહેલા પતિ રાજા ચૌધરીએ અભિનેત્રી વિશે કંઈક એવું કહ્યું છે જે એકદમ શોકિંગ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન રાજા ચૌધરીએ શ્વેતા તિવારીને લગ્ન વિશે દુર્ભાગ્ય વાળી વાત કહી.
શ્વેતાનું દુર્ભાગ્ય છે કે તેમના બંને લગ્ન ચાલ્યા ન હતા
એક ઈન્ટરવ્યુની વાતચીતમાં રાજા ચૌધરીએ કહ્યું હતું કે શ્વેતાની બદકિસ્મતી છે કે તેમના બંને લગ્ન ચાલ્યા ન હતા. આ બધું તેમના જીવનમાં ફરીથી થઈ રહ્યું છે, જે ક્યારેક પહેલાં પણ થઈ ચુક્યું છે. પરંતુ આમા શ્વેતાનો દોષ નથી. રાજા કહે છે કે શ્વેતા અદભૂત પત્ની અને માતા છે. તેમના બીજો લગ્ન પણ નિષ્ફળ ગયા પરંતુ તેનો એ અર્થ નથી કે તે એક ખરાબ વ્યક્તિ છે.
એક પિતા તેમના પુત્ર અથવા પુત્રીને ક્યારેય નુકસાન પહોંચાડી શકે નહીં
શ્વેતા અને અભિનવ વચ્ચેના અણબનાવ વિશે વાત કરતા રાજાએ કહ્યું કે આ દંપતી વચ્ચે શું થઈ રહ્યું છે તે અંગે હું કોઈ ટિપ્પણી કરી શકતો નથી. પરંતુ હવે શ્વેતા તિવારીએ સમજવું પડશે કે એક દંપતી તરીકે તેમના અને અભિનવ વચ્ચે લાખો સમસ્યાઓ હોય, એક પિતા તેમના પુત્ર અથવા પુત્રીને કદી ઈજા પહોંચાડી શકે નહીં. રાજાના આ નિવેદનથી લાગે છે કે તેઓ અભિનવને સમર્થન આપી રહ્યા છે.
રાજા ચૌધરી-શ્વેતા તિવારીના લગ્ન અને છૂટાછેડા
રાજા ચૌધરી શ્વેતા તિવારીના પહેલા પતિ છે. તેઓએ વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. જોકે, સાત વર્ષ બાદ 2007 માં બંનેના છૂટાછેડા થયા હતા. આ બંનેની એક પુત્રી છે પુલક. રાજાથી છૂટાછેડા બાદ શ્વેતાએ 2013 માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2019 માં તેનાથી અલગ થઈ ગઈ હતી. બંનેને એક પુત્ર રેયંશ છે. બંનેના લગ્ન તૂટી ગયા બાદ શ્વેતા તિવારી તેમના પુત્ર રેયંશ અને પુત્રી પલક સાથે અલગ રહે છે.
જાણો શું છે મામલો
તાજેતરમાં જ શ્વેતા તિવારીએ તેની સોસાઈટીનાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર અપલોડ કરીને પતિ અભિનવ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અભિનેત્રી દ્વારા શેર કરેલા વીડિયોમાં અભિનવ શ્વેતા પાસેથી પુત્ર રેયંશને છીનવી રહ્યો હતો. આ વીડિયો જોયા પછી ઘણા સ્ટાર્સે શ્વેતાને ટેકો આપ્યો હતો અને અભિનવની ધરપકડની માંગ કરી હતી.