AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાએ જેલમાંથી બહાર આવ્યા બાદ હવે કંઈક એવું કર્યું, જાણીને થઈ જશો હેરાન !

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પહેલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતા. તે શિલ્પા અને પુત્ર સાથે ફની વીડિયો બનાવતો હતો, જે ચાહકોને પણ ખૂબ પસંદ આવતો હતો.

Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાએ જેલમાંથી બહાર આવ્યા બાદ હવે કંઈક એવું કર્યું, જાણીને થઈ જશો હેરાન !
Shilpa Shetty-Raj Kundra
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 5:50 PM
Share

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નો પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતો. તે ઘણા ફની વીડિયો શેર કરતો હતો. જોકે, પોર્નોગ્રાફી કેસમાં નામ આવ્યા બાદ રાજનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. રાજને 2 મહિના જેલમાં રહેવું પડ્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજે આજ સુધી જાહેરમાં હાજરી આપી નથી.

જો કે, હવે રાજે અચાનક તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ડિલીટ કરી દીધા છે. રાજે આ નિર્ણય શા માટે લીધો તે કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે શિલ્પાએ હજુ સુધી રાજ સાથે કોઈ ફોટો શેર કર્યો નથી. તાજેતરમાં જ શિલ્પાએ કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. દર વર્ષે તે આ પ્રસંગે રાજ સાથે ફોટા શેર કરતી હતી. આ વખતે પણ શિલ્પાએ રાજ માટે વ્રત રાખ્યું હતું, પરંતુ તેની સાથેના ફોટા શેર કર્યા નહોતા. જો કે શિલ્પાએ ચોક્કસપણે તેનો એક ફોટો શેર કર્યો છે.

એટલું જ નહીં, તાજેતરમાં જ શિલ્પા બંને બાળકો સાથે અલીબાગ જવા રવાના થઈ હતી. જોકે, રાજ તેમની સાથે જોવા મળ્યો ન હતો. તમને જણાવી દઈએ કે રાજને 50 હજારની જામિનખત પર જામીન મળ્યા છે. રાજે પોતાની અરજીમાં લખ્યું હતું કે તેને બલિનો બકરો બનાવવામાં આવ્યો હતો.

આ સાથે તેણે દાવો કર્યો હતો કે તેની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેનો કોઈ પુરાવા નથી કે તે એડલ્ટ કન્ટેન્ટ બનાવવામાં સક્રિય હતો. તેણે એમ પણ કહ્યું કે ચાર્જશીટમાં તેની સામે કોઈ ફરિયાદ નથી કે તે વીડિયો શૂટિંગમાં સામેલ છે. તેનું નામ FIRમાં પણ નહોતું, પરંતુ પોલીસે તેને બળપૂર્વક આ કેસમાં ખેંચી લીધો.

રાજ માટે શિલ્પાએ માંગી હતી મન્નત?

તમને જણાવી દઈએ કે રાજની જામીન પહેલા શિલ્પા વૈષ્ણો દેવી મંદિરે ગઈ હતી. આ પછી જ્યારે રાજ જેલમાંથી બહાર આવ્યો ત્યારે શિલ્પાએ થોડા દિવસો પહેલા તેના નવા હેરકટ કરાવ્યા હતા. શિલ્પાનો આ હેરકટ એકદમ અલગ હતો. તેના પાછળના ભાગેથી અડધા વાળ કપાયેલા હતા. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર તેના હેરકટનો વીડિયો શેર કર્યો હતો જે ઘણો વાયરલ થયો હતો. વીડિયો વાઈરલ થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે શિલ્પાએ તેના વાળ એટલા માટે કપાવ્યા કારણ કે તેમણે રાજ માટે જેલમાંથી બહાર આવવાની મન્નત માંગી હતી. હવે માત્ર શિલ્પા જ કહી શકે છે કે આ કારણ કેટલું સાચું છે અને કેટલું ખોટું.

શિલ્પાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે હંગામા 2 ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ દ્વારા શિલ્પાએ 14 વર્ષ બાદ કમબેક કર્યું છે. હવે શિલ્પા નિકમ્મા (Nikamma) ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં શિલ્પા સાથે અભિમન્યુ દસાની અને શર્લી સેતિયા લીડ રોલમાં છે.

આ પણ વાંચો :- Sonakshi Sinhaએ હુમા કુરેશીને આપી લીગલ નોટિસ મોકલવાની ધમકી, જાણો શું છે મામલો

આ પણ વાંચો :- 2 લાખના ડ્રેસમાં કાજોલ કહી રહી છે ‘હેપ્પી હેલોવીન વિચેઝ’, લાગી રહી છે ખુબ જ ગોર્જિયસ

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">