કામાખ્યા મંદિરમાં દર્શન કરવા પહોચી Sara Ali Khan, કટ્ટરપંથીએ ફતવો બહાર પાડવાની કરી માગ

|

Jul 12, 2021 | 2:13 PM

કેટલાક લોકોને તેમનું તિલક લગાવવામાં પણ વાંધો છે. એક યુઝરે સારાને ચેતવણી પણ આપી હતી કે હવે તમારા નામે એક ફતવો બહાર પાડવામાં આવશે કે તમે મંદિર કેમ ગયા?

કામાખ્યા મંદિરમાં દર્શન કરવા પહોચી Sara Ali Khan, કટ્ટરપંથીએ ફતવો બહાર પાડવાની કરી માગ
Sara Ali Khan

Follow us on

સારા અલી ખાને રવિવારે ઇન્સ્ટાગ્રામ પર આસામથી કેટલીક તસ્વીરો શેર કરી હતી. સારાએ ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં માતાના દર્શન કર્યા હતા. તસ્વીરોમાં સારા મંદિરમાં સફેદ કુર્તા પાયજામા અને પરંપરાગત આસામી ગામોસા પહેરીને દેખાઈ રહ્યા છે. તેમણે તેમના વાળ પોનીટેલમાં બાંધ્યા હતા.

સારાએ ફોટા સાથેની કેપ્શનમાં લખ્યું હતું કે, “#peace #gratitude #blessed.” ફેન્સને પોસ્ટ ખુબ પસંદ આવી. કોઈએ લખ્યું “આસામથી પ્યાર”, એક પ્રશંસકે લખ્યું “આસામમાં તમારુ સ્વાગત છે”, જ્યારે કોઈ નાગાલેન્ડ ન આવવાને કારણે સારાથી નારાજ હતા. તે જ સમયે, કેટલાક ધાર્મિક કટ્ટરપંથી યૂઝર્સ છે, જેમને સારાનાં મંદિરમાં દર્શન કરવા જવું અસહ્ય લાગ્યું.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

તેમાથી કેટલાક લોકોને તેમનું તિલક લગાવવામાં પણ વાંધો છે. એક યુઝરે સારાને ચેતવણી પણ આપી હતી કે હવે તમારા નામે એક ફતવો બહાર પાડવામાં આવશે કે તમે મંદિર કેમ ગયા?


અજમેર શરીફ પણ જઈ ચુકી છે સારા

કામાખ્યા મંદિર કોવિડ-19 ને કારણે ઘણા દિવસોથી બંધ હતું. 30 જૂન સુધી ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2021 માં સારાએ તેમની માતા અભિનેત્રી અમૃતા સિંહ સાથે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી હતી. એમણે પોતાની યાત્રમાં માની સાથે પોતાની કેટલીક સારી તસ્વીરો પણ શેર કરી હતી, દોસ્તોને શુભેચ્છા આપી ‘જુમ્મા મુબારક’.

સારા છેલ્લે કાર્તિક આર્યન સાથે ગત વર્ષે લવ આજ કલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન ઇમ્તિયાઝ અલીએ કર્યું હતું, પરંતુ ટીકાકારો કે પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો.

અતરંગી રેમાં જોવા મળશે

સારાના આગામી પ્રોજેક્ટ્સમાં અક્ષય કુમાર અને ધનુષ સાથેની અતરંગી રેનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું નિર્દેશન આાનંદ એલ રાયે કર્યું છે. તાજેતરમાં સારાએ પોતાની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે અક્ષય દ્વારા ક્લિક કરવામાં આવી હતી જ્યારે તેઓ એક સાથે ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મનું શૂટિંગ માર્ચમાં પૂરું થયું હતું અને સારાએ ફિલ્મના તેના તમામ સહ કલાકારો પર એક લાંબી નોટ લખી હતી.

Next Article