
મહાકુંભ મેળાથી ચર્ચામાં આવેલી મોનાલિસા ભોસલે છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં છે. થોડા સમય પહેલાં તેમણે પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન સાથે લગ્ન કર્યા હતા, જેના કારણે તેમના પરિવાર અને ફિલ્મમેકર બંને નારાજ થઈ ગયા હતા. હવે આ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે, કારણ કે મોનાલિસાએ ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રા પર યૌન શોષણના આરોપો લગાવ્યા છે.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોનાલિસાએ જણાવ્યું કે સનોજ મિશ્રાએ તેમની સાથે અનેક વખત અયોગ્ય વર્તન કર્યું. તેમણે દાવો કર્યો કે તેમને લગભગ 10 વખત અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમણે આ વાત પોતાના પરિવારને જણાવી, ત્યારે પરિવાર તરફથી કોઈ સપોર્ટ મળ્યો નહીં.
તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે તેમણે વિરોધ કર્યો, ત્યારે તેમને સમજાવવામાં આવ્યું કે “આ તમારી પહેલી ફિલ્મ છે”, જે વાતથી તેઓ વધુ આઘાતમાં આવી ગઈ. આ વાત કરતાં તેઓ ભાવુક બની ગઈ અને રડી પડી.
મોનાલિસાએ કહ્યું કે આ સમગ્ર ઘટનામાં સૌથી મોટું દુઃખ એ હતું કે તેમના પોતાના પરિવારએ પણ તેમને સમર્થન આપ્યું નહોતું. તેઓએ જણાવ્યું કે તેમને લાગ્યું કે તેમના સાથે અન્યાય થયો છે અને હવે તેઓને ફક્ત ન્યાય જોઈએ છે.
તેમણે એ પણ ખુલાસો કર્યો કે આ પરિસ્થિતિને કારણે તેઓ એટલા તણાવમાં આવી ગયા હતા કે આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો.
મોનાલિસાએ જણાવ્યું કે જો ફરમાન તેમના જીવનમાં ન હોત, તો કદાચ તેઓ આજે અહીં ન હોત. ફરમાને તેમને હિંમત આપી અને સમજાવ્યું કે ભાગી જવાને બદલે લડવું જોઈએ. તેમની મદદથી જ મોનાલિસા ફરી ઉભી રહી શકી અને પોતાના હક માટે અવાજ ઉઠાવી શકી.
મોનાલિસાએ સનોજ મિશ્રા પર આક્ષેપ કર્યો કે તેઓ તેમના પરિવારને ડરાવી રહ્યા છે અને દબાણ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ડિરેક્ટરે તેમની ફિલ્મને લઈને મોટા દાવા કર્યા, પરંતુ વાસ્તવિકતા એથી ઘણી અલગ છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે શું કોઈ કરાર હતો કે તેઓ અન્ય વ્યક્તિ સાથે લગ્ન નહીં કરે? તેમણે જણાવ્યું કે તેમણે પોતાની ફિલ્મનું કામ પૂર્ણ કર્યું હતું અને પોતાની જવાબદારી નિભાવી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મ માટે તેમને પૈસા મળ્યા હતા, ત્યારે મોનાલિસાએ જણાવ્યું કે ઉલટું તેમના લગભગ 50 હજાર રૂપિયા બાકી છે. તેમણે આરોપ લગાવ્યો કે ડિરેક્ટરે પૈસા આપ્યા નહીં, પણ તેમના પરિવારને લાલચ આપીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો.
મોનાલિસાએ જણાવ્યું કે તેઓ અત્યાર સુધી બે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને આગળ પણ બે-ત્રણ ફિલ્મોના પ્રોજેક્ટ્સ પર ચર્ચા ચાલી રહી છે. તમામ વિવાદો વચ્ચે પણ તેઓ પોતાના કરિયરને આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે.
આ સમગ્ર મામલો મનોરંજન ઉદ્યોગમાં ચાલતા દબાણ અને શોષણના મુદ્દાઓને ફરી સામે લાવે છે. મોનાલિસાના આક્ષેપો ગંભીર છે અને જો તેમાં સત્ય હોય, તો યોગ્ય તપાસ અને ન્યાય મળવો ખૂબ જ જરૂરી છે.
Breaking News : “પેડ્ડી” ના સેટ પર ઘાયલ થયો સુપરસ્ટાર રામ ચરણ, આંખની ઉપર આવ્યા 4 ટાંકા