Sanjay Leela Bhansaliની ફિલ્મ ‘બૈજુ બાવરા’માંથી રણબીર કપૂર આઉટ, શું કાર્તિક આર્યનની થશે એન્ટ્રી ?

|

Jul 17, 2021 | 9:53 PM

'બૈજુ બાવરા' (Baiju Bawra) અંગેની ચર્ચા ઘણા દિવસોથી તીવ્ર હતી, જે બાદ હવે રણબીર કપૂર (Ranbir Kapoor) ને આ ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યા છે. જે બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે દિગ્દર્શક સંજય લીલા ભણશાળી કાર્તિક આર્યન (Kartik Aaryan) ને તેમની ફિલ્મમાં તક આપી શકે છે.

Sanjay Leela Bhansaliની ફિલ્મ બૈજુ બાવરામાંથી રણબીર કપૂર આઉટ, શું કાર્તિક આર્યનની થશે એન્ટ્રી ?
Ranbir Kapoor, Sanjay Leela Bhansali, Kartik Aaryan

Follow us on

બોલિવૂડના જાણીતા નિર્દેશક સંજય લીલા ભણશાળી (Sanjay Leela Bhansali) હાલમાં તેમની આગામી ફિલ્મ ‘બૈજુ બાવરા’ ની વાર્તા પર કામ કરી રહ્યા છે. દિગ્દર્શક ઈચ્છે છે કે આવનારા સમયમાં તેમની વધુને વધુ ફિલ્મો બોલીવુડ બોક્સ ઓફિસ પર રિલીઝ થવી જોઈએ. અને દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરે. આ જ કારણ છે કે સંજય લીલા ભણશાળીએ હવે રણબીર કપૂરને તેમની ફિલ્મ ‘બૈજુ બાવરા’ માંથી બહાર કરી દીધા છે.

એક સમાચાર અનુસાર રણબીર કપૂર (Ranbir Kapoor) છેલ્લા ઘણા દિવસોથી ‘બૈજુ બાવરા’ના આ પાત્રને લઈને ખૂબ મૂંઝવણમાં હતા. જ્યાં છેલ્લા ઘણા દિવસોથી અભિનેતા રણબીર કપૂર આ ફિલ્મના સંબંધમાં ભણસાલીની ઓફિસ જઈ રહ્યા હતા.

આ દરમિયાન હવે આ ફિલ્મ માટે કાર્તિક આર્યન (Kartik Aaryan) નું નામ સામે આવ્યું છે. કાર્તિક આર્યન છેલ્લા 1 અઠવાડિયાથી સંજય લીલા ભણશાળીને મળી રહ્યા છે. આ સાથે જ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે અભિનેત્રી દીપિકા પદુકોણ પણ આ ફિલ્મનો ભાગ બની શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

તાજેતરમાં જ રણબીર કપૂરે પોતે સંજય લીલા ભણશાળીને મળીને કહ્યું હતું કે તેઓ આ ફિલ્મ અંગે ખૂબ મૂંઝવણમાં છે. જેના કારણે હવે સંજય લીલા ભણશાળીએ તેમને પોતાની ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. સંજય અને રણબીર વચ્ચે આ ફિલ્મ અંગે કોઈ બોન્ડ સાઈન થયા ન હતા. જેના કારણે તે કોઈ પણ સમસ્યા વિના આ ફિલ્મમાંથી બહાર નીકળી શકે છે.

સંજય લીલા ભણશાળી છેલ્લા ઘણા દિવસોથી સતત તેમની ઓફિસમાં બેઠક કરી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે તેમની ફિલ્મ્સ પર વહેલી તકે કામ શરૂ થઈ જાય. સંજય આ દિવસોમાં આલિયા ભટ્ટ સાથે તેમની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ કરી રહ્યો છે, તેઓ ઈચ્છે છે કે આ ફિલ્મનું શૂટિંગ કર્યા પછી તેઓ તરત જ આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દે, જેના કારણે તેઓ આજકાલ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. અભિનેતાએ થોડા દિવસો પહેલા જ તેમની ટીમ સાથે આ ફિલ્મનું શેડ્યૂલ પૂર્ણ કર્યું છે.

જ્યાં એવા સમાચાર છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ ફિલ્મનું આગામી શિડ્યુલ પણ શરૂ થવા જઈ રહ્યું છે. અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આજકાલ તેમની ફિટનેસ પર ઘણું ધ્યાન આપી રહી છે. જ્યાં તે ઇચ્છે છે કે તે આ ફિલ્મના ગીતોમાં ખૂબ સુંદર દેખાઈ શકે.

Next Article