Radhe vs Satyameva Jayate 2: કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે, ફિલ્મ નિર્માતાઓ થિયેટરોમાં 50 ટકા બેઠક કૈપેસિટી સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો એક સાથે બે મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવે, તો ફિલ્મ નિર્માતાઓ ગેરલાભમાં રહેશે, પરંતુ તે જ સમયે સિનેમાઘરોએ તેનો સામનો કરવો પડશે. સલમાન ખાન (Salman Khan)ની રાધે (Radhe) અને જ્હોન અબ્રાહમ(John Abraham)ની સત્યમેવ જયતે 2 (Satyameva Jayate 2) જેવી બે મોટી ફિલ્મો આ ઈદ પર રિલીઝ થઈ રહી છે.
જોકે સલમાનની ‘રાધે’ની રિલીઝ ડેટની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ મે મહિનામાં ઈદ નિમિત્તે આ ફિલ્મ રિલીઝ થશે, તેની ફિલ્મ સાથે સંકળાયેલા લોકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, પ્રજાસત્તાક દિન નિમિત્તે, જ્હોન અબ્રાહમે તેની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ નું નવું પોસ્ટર બહાર પાડીને ફિલ્મની રિલીઝ તારીખની ઘોષણા કરી, જે છે – 14 મે, 2021. ઈદ 12 મેના રોજ છે. આના બે દિવસ બાદ ‘સત્યમેવ જયતે 2’ રિલીઝ થઈ રહી છે.
કોરોના રોગચાળા વચ્ચે બે મોટી ફિલ્મોના થિયેટરમાં સંઘર્ષ સંભવિત છે. 5૦ ટકા બેઠક વ્યવસ્થા હજુ પણ થિયેટરોમાં જળવાઈ રહી છે. રોગચાળાને લીધે, એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે આગામી કેટલાક મહિનાઓમાં, સરકાર થિયેટરોને સંપૂર્ણ ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપશે. આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતાઓ અને ડિસ્ટ્રિબ્યુટર બે મોટી ફિલ્મો સાથે રિલીઝ થવાનું ટાળતા જોવા મળે છે.
દરમિયાન, જ્યારે સલમાન અને જ્હોનની ફિલ્મોના ટકરાવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે, ત્યારે નિર્માતા અને ડિસ્ટ્રિબ્યુટર બંને મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે ધંધામાં ઓછામાં ઓછું 30 ટકા નુકસાન થઈ શકે છે. ‘રાધે’ અને ‘સત્યમેવ જયતે 2’ બંનેએ ઘણું બધું ગુમાવવું પડશે અને ઘણું બધું દાવ પર છે. રસપ્રદ વાત એ છે કે બંને ફિલ્મો આતુરતાથી સારા ધંધાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે મહિનાઓથી થિયેટરો બંધ હોવાને કારણે આ સ્ટાર્સની ફિલ્મો ઘણા સમય પછી રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું એ છે કે કોણ જીતે છે અને કોણ હારે છે.