AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુ ‘સેલિયાક ડિસીઝ’થી પીડિત, જાણો આ બીમારી વિશે

હરનાઝ સંધુ કહે છે કે, મને પરિવર્તન ગમે છે અને તેને તમારે ટ્રોલ ન કરવું જોઈએ પરંતુ તેની પ્રશંસા કરવી જોઈએ. કારણ કે દરેક વ્યક્તિ આવા ફેરફારોમાંથી પસાર થઈ શકતો નથી.

મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુ 'સેલિયાક ડિસીઝ'થી પીડિત, જાણો આ બીમારી વિશે
Harnaaz Sandhu Body Transformation Viral Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 7:19 PM
Share

મિસ યુનિવર્સ 2021 (Miss Universe 2021) હરનાઝ કૌર સંધુએ (Harnaaz Kaur Sandhu) તાજેતરમાં તેણી ઓટો-ઇમ્યુન ડિસઓર્ડર ‘સેલિયાક ડિસીઝ’થી (Celiac Disease) પીડિત છે, તેવો ખુલાસો કર્યો હતો. જો કે, આ રોગ વિશે લોકોને ખાસ માહિતી ન હોવાથી ઇન્ટરનેટ પર હરનાઝ સંધુ તેના અચાનક વધી ગયેલા વજન વિશે ખૂબ જ ટ્રોલ કરી હતી. આ પૂર્વે પણ, મિસ યુનિવર્સ 2021 તેના પાતળા શરીરને કારણે ખૂબ ટ્રોલ થઈ હતી. હરનાઝે તાજેતરમાં તેની આ લાંબા સમયની બીમારી અંગે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો. લોકો અત્યારે આ બીમારી વિશે જાણવા માટે ખુબ ઉત્સુક છે.

View this post on Instagram

A post shared by Miss Universe (@missuniverse)

તાજેતરમાં મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુ, ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શેર કર્યું કે તેણીને સેલિયાક ડિસીઝ છે, જે ગ્લુટેન પ્રત્યે સંવેદનશીલતા ધરાવતા વર્ગીકૃત થયેલા લોકોમાં જોવા મળતી એક પરિસ્થિતિ છે. ગ્લુટેન તત્વ જે ઘઉં, જવ અને રાઈમાં જોવા મળે છે. મને પહેલા ‘ખૂબ પાતળી’ હોવાને કારણે ટ્રોલ કરવામાં આવી હતી અને હવે તેઓ મને ‘તું જાડી છે’ એમ કહીને ટ્રોલ કરે છે. મારા સેલિયાક રોગ વિશે કોઈને ખબર નથી. હું ઘઉંનો લોટ અને બીજી ઘણી વસ્તુઓ ખાઈ શકતી નથી,” તેણીએ કહ્યું હતું.

IANSના અહેવાલ મુજબ, વર્ષ 2011માં AIIMS દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ રોગ વિશ્વની લગભગ 0.7% વસ્તી અને 100 માંથી 1 ભારતીયને અસર કરે છે. જો કે, હજી પણ તેના વિશે લોકોમાં ખાસ જાગૃતિ જોવા મળી નથી.

સેલિયાક રોગના લક્ષણો બાળપણ અથવા પુખ્તાવસ્થામાં દેખાઈ શકે છે. નિષ્ણાતોના મતે, સેલિયાક રોગ બે વય જૂથોમાં રજૂ થાય છે. પ્રથમ – જ્યારે બાળકને માતાનું દૂધ પીવડાવવામાં આવે છે અને તે રોટલી અને બેબી ફૂડ જેવા ખોરાક લેવાનું શરૂ કરે છે. આ સમયે, બાળક, જો ગ્લુટેન પ્રત્યે સંવેદનશીલ હોય, તો તેને આ રોગ થઈ શકે છે.

પછીના જીવનમાં – 12 અથવા 15 વર્ષની ઉંમરે – જો કોઈ વ્યક્તિમાં વારંવાર એનિમિયા, વિટામિનનું ઓછું સ્તર, નબળાઇ, થાક, મંદ વૃદ્ધિ, ઓછું વજન વગેરે અનુભવે છે – તો ડૉક્ટર તેમને એન્ટિટીટીજી એન્ટિબોડી ટેસ્ટ લેવાની સલાહ આપશે. આ સેલિયાક રોગના લક્ષણો છે.

આ રોગ 30 વર્ષની ઉંમરના લોકોને પણ થઈ શકે છે. ઘણીવાર, એન્ડોસ્કોપી અને ડ્યુઓડેનમ (નાના આંતરડા)માં દુખાવો રોગની પુષ્ટિ કરે છે. જો તમને સેલિયાક રોગ હોય, તો તમે ગ્લુટેન (ઘઉં, રાઈ અને જવ સહિત) ધરાવતો કોઈપણ ખોરાક ખાઈ શકતા નથી. ડૉ. શુભમ વાત્સ્યા જણાવે છે કે, “વધુ સૂચનો માટે તમને ડાયેટિશિયનની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે. તમારા આહારમાંથી ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય છોડવાથી સામાન્ય રીતે થોડા દિવસોમાં પરિસ્થિતિ સુધરે છે અને આખરે રોગના લક્ષણોનો અંત આવે છે.

જો કે, વ્યક્તિને સંપૂર્ણપણે સાજા થવા માટે સામાન્ય રીતે મહિનાઓ કે વર્ષોની જરૂર પડે છે. બાળક માટે લગભગ છ મહિનાની સરખામણીમાં, પુખ્ત વયના લોકોમાં આંતરડાને સાજા થવામાં બે થી ત્રણ વર્ષ લાગી શકે છે. તમારે નિયમિત મેડિકલ ફોલો-અપ મુલાકાતોની જરૂર પડશે. સામાન્ય રીતે ત્રણ-મહિના, છ-મહિના અથવા વાર્ષિક અંતરાલ પર તમારે મેડિકલ ચેકઅપ માટે જવું પડે છે.  થોડી માત્રામાં પણ ગ્લુટેન ખાવાથી તમારા આંતરડાને ફરીથી નુકસાન થઈ શકે છે.

ડૉક્ટર્સ ઉમેરે છે કે, “ગ્લુટેન-મુક્ત આહારનો અર્થ એ છે કે તમે પાસ્તા, અનાજ અને ઘણા પ્રોસેસ્ડ ખોરાક જેવા ‘સ્ટેપલ્સ’ ખાઈ શકતા નથી. પરંતુ તેને અન્ય પ્રકારના લોટ (બટેટા, ચોખા, મકાઈ અથવા સોયા) અને ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત બ્રેડ અને ઉત્પાદનોમાંથી બનાવેલ બ્રેડ અને પાસ્તા દ્વારા બદલી શકાય છે.”

સામાન્ય રીતે, શરીરની રોગપ્રતિકારક શક્તિ બાહ્ય આક્રમણકારોથી બચાવવા માટે બનાવવામાં આવી છે. પરંતુ જ્યારે સેલિયાક રોગવાળા લોકો ગ્લુટેન ધરાવતો ખોરાક ખાય છે, ત્યારે તેમની રોગપ્રતિકારક શક્તિ આંતરડાના અસ્તર પર હુમલો કરે છે. આનાથી આંતરડામાં બળતરા (સોજો) થાય છે અને નાના આંતરડાના અસ્તર પરના વાળ જેવા માળખાને નુકસાન થાય છે. ખોરાકમાંથી પોષક તત્વો વિલી દ્વારા શોષાય છે. જો વિલીને નુકસાન થાય છે, તો વ્યક્તિ પોષક તત્વોને શોષી શકતી નથી અને તે કુપોષિત થઈ જાય છે, પછી ભલે તે ગમે તેટલું ખાય,” ડૉ. શુભમ વાત્સ્યા કહે છે.

હરનાઝે તેની આ પરિસ્થિતિ જાહેર કરતાની સાથે જ, Googleમાં સેલિયાક ડીસીઝ અત્યારે ટોચના સર્ચ ટ્રેન્ડઝમાં જોવા મળી રહ્યું છે. ચંદીગઢમાં સેલિયાક ડિસીઝને લગતી શોધમાં મહત્તમ વધારો દર્શાવ્યો છે, ખાસ કરીને ‘સ્ત્રીઓમાં સેલિયાક રોગના લક્ષણો’ જેવા કીવર્ડના સંદર્ભમાં, ત્યારબાદ ‘ગ્લુટેન-ફ્રીનો અર્થ’- આવા કી વર્ડ અત્યારે ગૂગલ પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો – મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના મંચ પર કહી કંઈક આ વાત….

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">