Kartik Aaryan ની ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ નું બદલ્યું નામ, દિગ્દર્શકે જણાવ્યું તેનું કારણ

|

Jul 04, 2021 | 7:10 PM

ચાહકો કાર્તિકને જોવા માટે એકદમ ઉત્સાહિત છે. તેઓ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ લવ આજ કલ (Love Aaj Kal) માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં કાર્તિકની સાથે સારા અલી ખાન હતી.

Kartik Aaryan ની ફિલ્મ સત્યનારાયણ કી કથા નું બદલ્યું નામ, દિગ્દર્શકે જણાવ્યું તેનું કારણ
Kartik Aaryan

Follow us on

કાર્તિક આર્યન (Kartik Aaryan) ની આગામી ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ (Satyanarayan Ki Katha) ની જાહેરાત થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. હવે કાર્તિકની આ ફિલ્મનું નામ બદલાઇ રહ્યું છે. ફિલ્મનું નામ એટલા માટે બદલાવામાં આવી રહ્યું છે કે જેથી કોઈની ભાવનાઓને દુ:ખ ન પહોંચે. ફિલ્મના નિર્દેશક સમીર વિદ્વાંસએ આ અંગેની જાણકારી એક સ્ટેટમેન્ટ બાહર પાડીને આપી છે.

તેમણે લખ્યું, ફિલ્મનું જે ટાઇટલ હોય છે તે ઘણી સર્જનાત્મક પ્રક્રિયા બાદ ફાઇનલ કરવામાં આવે છે. અમે નક્કી કર્યું છે કે તાજેતરમાં અમે જાહેરાત કરી હતી ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’નું નામ બદલાવીશું કે જેથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે નહીં કારણ કે અમારો આવો કોઈ હેતુ નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સમીરે આગળ લખ્યું, ફિલ્મના નિર્માતાઓ અને સર્જનાત્મક ટીમે આ નિર્ણયને પૂર્ણ ટેકો આપ્યો છે. અમે ટૂંક સમયમાં જ દરેક માટે ફિલ્મના નવા ટાઈટલની ઘોષણા કરીશું.

અહીં વાંચો સમીરનું નિવેદન

નેશનલ એવોર્ડ વિજેતા સમીર દ્વારા નિર્દેશનમાં આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા નિર્માણ કરી રહ્યા છે. આ એક લવ સ્ટોરી ફિલ્મ હશે જેમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. સાજિદ સાથે કાર્તિક પહેલીવાર કામ કરી રહ્યા છે. આ ફિલ્મની ઘોષણા કરતા કાર્તિકે લખ્યું, એવી વાર્તા જે મારા હૃદયની નજીક છે. સ્પેશિયલ લોકો સાથે સ્પેશિયલ ફિલ્મ.

ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે અને આવતા વર્ષે રિલીઝ થવાની સંભાવના છે. ફિલ્મ અંગે કાર્તિકે કહ્યું, ‘હું સાજિદ સર સાથે ઘણા સમયથી કામ કરવા માંગતો હતો. તેનાથી વધુ સારું શું હશે. આ ફિલ્મ એક મ્યુઝિકલ લવ સાગા છે જેમાં ઘણા નેશનલ એવોર્ડ વિજેતાઓ શામેલ છે.

ચાહકો કાર્તિકને જોવા માટે એકદમ ઉત્સાહિત છે. તેઓ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ લવ આજ કલ (Love Aaj Kal) માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં કાર્તિકની સાથે સારા અલી ખાન હતી. આ વર્ષની શરૂઆતમાં સમાચાર આવ્યા કે કાર્તિક ફિલ્મ દોસ્તાના 2 થી બહાર થઈ ગયા છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે જાનવી કપૂર અને લક્ષ્ય હતા. લક્ષ્ય આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા હતા. ચાહકો ફિલ્મમાં કાર્તિકને જોવા માટે ઘણા ઉત્સાહિત હતા, પરંતુ તે પછી અચાનક જ આ સમાચાર સાંભળીને બધાને ઝટકો લાગ્યો.

ધર્મા પ્રોડક્શનએ એક નિવેદન બહાર પાડીને ફક્ત એટલું જ કહ્યું હતું કે અમે હમણાં આ વિશે વધુ નહી બસ એટલું કહેશું કે જલ્દીથી અમે ફિલ્મની નવી કાસ્ટની ઘોષણા કરીશું.

Next Article