Kargil Vijay Diwas: જ્યારે ભારતીય સેનાએ રવિના ટંડનના નામે એક ભેટ Nawaz Sharif ને મોકલી, જાણો કારણ

|

Jul 27, 2021 | 7:02 AM

કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સૈન્ય દ્વારા ગુસ્સે થઈને પાકિસ્તાનને એક ભેટ મોકલવામાં આવી હતી. આ ભેટ પાકિસ્તાનના નવાઝ શરીફની પસંદીદા બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનના નામથી મોકલવામાં આવી હતી. જાણો તેના વિશે.

Kargil Vijay Diwas: જ્યારે ભારતીય સેનાએ રવિના ટંડનના નામે એક ભેટ Nawaz Sharif ને મોકલી, જાણો કારણ
When the Indian Army sent a gift in the name of Raveena tandon to Nawaz Sharif!

Follow us on

26 જુલાઈને કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas 2021) તરીકે ઉજાવવામાં આવે છે. આજે કારગિલ યુદ્ધને 22 વર્ષ પૂર્ણ થયા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર અને દરેક જગ્યાએ આ યુદ્ધથી જોડાયેલી વાતો શેર થઇ રહી છે. આવામાં એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત પાકના આ યુદ્ધમાં ભારતીય સેનાએ રવિના ટંડનના (Raveena Tandon) નામથી એ સમયના પ્રધાનમંત્રી નવાઝ શરીફના (Nawaz Sharif) માટે એક ભેટ મોકલી હતી. આ ભેટ હતી એક યુદ્ધ મિસાઈલ બોમ્બ.

નોંધનીય છે કે આ ભેટ ભારતીય સૈન્ય દ્વારા ગુસ્સે થઈને પાકિસ્તાનને મોકલવામાં આવી હતી. ખરેખર આ ભેટ પાકિસ્તાનના નવાઝ શરીફની પસંદીદા બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનના નામથી મોકલવામાં આવી હતી. જ્યારે કારગિલ યુદ્ધ સમયે આ ભેટ પર રવિનાનું નામ લખીને મોકલવામાં આવી. એ સમયે અભિનેત્રીને આ વાત વિશે કોઈ ખ્યાલ નહોતો, પરંતુ જ્યારે તેને પાછળથી આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ ખુશ થઇ.

આ બોમ્બ પર લખ્યું હતું “FROM RAVEENA TONDON TO NAWAJ SHARIF”. આ બોમ્બની તસ્વીર પણ ઉપલબ્ધ છે અને તે ઘણી વાર વાયરલ થતી હોય છે. આ લખાણ વચ્ચે એક ડીલ પણ બનાવવામાં આવ્યું હતું. તસ્વીરમાં જોઈ શકાય છે કે એક જવાન આ મિસાઈલ પાકિસ્તાન પર ફાયર કરવા માટે તૈયાર કરી રહ્યા છે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવે છે કે આ ભેટ મોકલતા સમયે સેનાએ સરકાર સાથે પણ ચર્ચા નહોતી કરી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ તે સમયની વાત છે જ્યારે કારગિલનું યુદ્ધ પીક કર હતું. અને ભારત જીત તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ આ કામ કરવા પાછળનું કારણ ખુબ જ ગંભીર છે. અહેવાલમાં કહેવાયું છે કે તે સમયે જ્યારે ભારતીય સૈનિકો કે જેમણે શહાદત વહોરી હોય અને તેમના મૃતદેહને પાકિસ્તાની સરહાદમાં હોય ત્યારે પાકિસ્તાની સૈનિકો ભારતીય સૈનિકને કહેતો કે હિંમત હોય તો લઇ જાઓ કે પછી રવિના અને માધુરીને અમને સોંપી દો, આ બાદ અમે મૃતદેહ આપી જઈશું.

પછી શું હતું. આ વકતો ભારતીય જવાનો સહન કરી લે એવા નહોતા. ભારતીય જવાનોએ રવિનાના નામે એક એવી ભેટ મોકલી જેના પડઘા કદાચ આજ સુધી તેમને સંભળાતા હશે. ભારતીય સેનાએ આ યુદ્ધ જીત્યું. અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું.

 

આ પણ વાંચો: Kargil Vijay Diwas: શું તમે જોઈ છે કારગિલ યુદ્ધ પર આધારિત આ 7 દમદાર ફિલ્મ્સ? જુઓ લીસ્ટ

આ પણ વાંચો: Shershaah : સિદ્ધાર્થ-કિયારાના અભિનયનું ચાહક બન્યું બોલીવુડ, આલિયાથી લઈ જ્હાનવી સુધી, ઘણા સ્ટાર્સે આ રીતે આપ્યા અભિનંદન

Published On - 1:16 pm, Mon, 26 July 21

Next Article