Happy Birthday: સલમાનના ‘ગોડફાધર’ સૂરજ બડજાત્યાનો આજે જન્મ દિવસ

|

Feb 22, 2021 | 11:55 AM

સૂરજ બડજાત્યાનો જન્મ 12 ફેબ્રુઆરી 1965 ના રોજ મુંબઇમાં થયો હતો. તેમણે સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયાથી મુખ્ય દિગ્દર્શક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી હેડલાઇન્સ બનાવી હતી અને સાથે જ દર્શકોના દિલ પણ જીતી લીધા હતા.

Happy Birthday: સલમાનના ગોડફાધર સૂરજ બડજાત્યાનો આજે જન્મ દિવસ
Sooraj Barjatya

Follow us on

હિન્દી સિનેમાના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક સૂરજ બડજાત્યાનો જન્મદિવસ 22 ફેબ્રુઆરીએ આવે છે. તે બોલિવૂડના એક અલગ અને ખાસ ફિલ્મ નિર્માતા તરીકે ગણવામાં આવે છે. સૂરજ બડજાત્યા કૌટુંબિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેની મોટાભાગની ફિલ્મો પરિવાર અને લગ્ન જીવનની આસપાસ ફરે છે. જન્મદિવસના વિશેષ પ્રસંગે, અમે તમને સૂરજ બડજાત્યાથી સંબંધિત વિશેષ બાબતોનો પરિચય આપીશું.

સૂરજ બડજાત્યાનો જન્મ 12 ફેબ્રુઆરી 1965 ના રોજ મુંબઇમાં થયો હતો. તેનો પરિવાર લાંબા સમયથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. સૂરજ બડજાત્યાએ સહ દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ સમયે, તેમણે સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયાથી મુખ્ય દિગ્દર્શક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ મેને પ્યાર કિયા ફિલ્મથી મુખ્ય દિગ્દર્શક તરીકે સૂરજ બડજાત્યાની પહેલી ફિલ્મ હતી, જ્યારે સલમાન ખાને પણ મુખ્ય અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી.

મેને પ્યાર કિયા ફિલ્મ વર્ષ 1989 માં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી હેડલાઇન્સ બનાવી હતી અને સાથે જ દર્શકોના દિલ પણ જીતી લીધા હતા. ફિલ્મ મૈં પ્યાર કિયા પછી સૂરજ બડજાત્યાએ હમ આપકે કૌન, હમ સાથ સાથ હૈ, વિવાહ અને પ્રેમ રતન ધન પાયો સહિતની ઘણી ફિલ્મ્સનું નિર્દેશન કર્યું છે. તેમની 32 વર્ષની કારકિર્દીમાં, સૂરજ બડજાત્યાએ કુલ સાત ફિલ્મ્સનું નિર્માણ અને નિર્દેશન કર્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

સૂરજ બડજાત્યાની મોટાભાગની ફિલ્મોએ બોક્સઓફિસ પર માત્ર એક અલગ જ છાપ ઉભી કરી હતી, અને એક સારી રકમ પણ મેળવી હતી. સલમાન ખાનને સ્ટાર બનાવવાનો શ્રેય પણ સૂરજ બડજાત્યાને જાય છે. અત્યાર સુધીમાં સલમાન ખાને તેમની જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, તેમાં નામ કમાવ્યું છે. ખાસ વાત એ છે કે સૂરજ બડજાત્યાએ તેમની શાનદાર ફિલ્મોના ઘણા એવોર્ડ પણ જીત્યા છે.

ફિલ્મ હમ આપકે હૈ કૌન માટે ફિલ્મફેરમાં તેમણે શ્રેષ્ઠ નિર્દેશક અને શ્રેષ્ઠ સ્ક્રીનપ્લેનો એવોર્ડ જીત્યાં છે. રાજશ્રી પ્રોડક્શન નામનું સૂરજ બડજાત્યાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. રાજશ્રી પ્રોડક્શન બોલીવુડની જાણીતી કંપની છે. સૂરજ બડજાત્યાની છેલ્લી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો હતી. તેમની ફિલ્મ વર્ષ 2015 માં આવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને નીલ નીતિન મુકેશ મુખ્ય ભૂમિકામાં હતા.

Next Article