અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) ના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે સૂર્યવંશીના ચાહકો માટે સારા સમાચાર છે. આખરે સૂર્યવંશી થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
રોહિત શેટ્ટી (Rohit Shetty) ના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સૂર્યવંશી દિવાળીના પ્રસંગે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતા કરણ જોહરે (Karan Johar) સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.
મહારાષ્ટ્રમાં ખુલી રહ્યા છે થિયેટરો
મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી થિયેટરો ખુલવા જઈ રહ્યા છે. જેની સાથે, ફિલ્મની રિલીઝની માહિતી ચાહકોને આપવામાં આવી છે. કરણ જોહરે પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું – 22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં થિયેટરો ખુલવા જઈ રહ્યા છે. છેવટે અમે કહી શકીએ કે આવી રહી છે પોલીસ… સૂર્યવંશી રોહિત શેટ્ટીની ફિલ્મ આવી રહી છે આ દિવાળી પર.
અક્ષય કુમારે પણ શેર કરી છે પોસ્ટ
અક્ષય કુમારે પણ પોસ્ટ શેર કરીને સૂર્યવંશીની રિલીઝ વિશે માહિતી આપી છે. તેમણે રણવીર સિંહ, અજય દેવગન અને રોહિત શેટ્ટી સાથે એક તસ્વીર શેર કરતાં લખ્યું – ઘણા પરિવારો શ્રી ઉદ્ધવ ઠાકરેજી તમારો આભાર માની રહ્યા હશે. હું ખૂબ આભારી છું કે 22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં થિયેટરો ખુલવા જઈ રહ્યા છે. હવે કોઈના રોકવાથી ના રોકાશે. આવી રહી છે પોલીસ… દિવાળી 2021.
માર્વેલ સુપરહીરોઝ સાથે ટકરાશે
દિવાળીના અવસર પર હોલીવુડ ફિલ્મ ઈટર્નલ્સ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ભારતમાં 6 ભાષાઓમાં રિલીઝ થશે. દિવાળી નિમિત્તે સૂર્યવંશી અને સુપરહીરોઝની ટક્કર થવા જઈ રહી છે. જો દિવાળી પર બીજી કોઈ ફિલ્મ પણ રિલીઝ થશે તો તે ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનને અસર કરશે.
કેટરિના કૈફ (Katrina Kaif) સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીજી બાજુ, અજય દેવગન (Ajay Devgan) અને રણવીર સિંહ (Ranveer Singh) મહેમાન ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે દરેક વ્યક્તિ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો :- Fraud Case : છેતરપિંડીના કેસમાં દિલીપ છાબરિયાના પુત્રની પણ ધરપકડ, કપિલ શર્માએ નોંધાવી હતી FIR
આ પણ વાંચો :- ‘Gadar’ ફિલ્મના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં શરૂ થશે સિક્વલનું શૂટિંગ