Death Probe: સુશાંતસિંહ રાજપૂતની જેમ પુનીત રાજકુમારના ચાહકો પણ ઉઠાવી રહ્યા છે તેમના નિધન પર સવાલ, તપાસ માટે અરજી દાખલ કરી

|

Nov 06, 2021 | 8:27 PM

Puneeth Rajkumar Death Investigation Demand: પુનીતના એક ચાહકે તેમના નિધન પર સવાલ ઉઠાવતા તપાસ માટે અરજી કરી છે. પોલીસે પણ આ મામલે તપાસની ખાતરી આપી છે.

Death Probe: સુશાંતસિંહ રાજપૂતની જેમ પુનીત રાજકુમારના ચાહકો પણ ઉઠાવી રહ્યા છે તેમના નિધન પર સવાલ, તપાસ માટે અરજી દાખલ કરી
Puneeth Rajkumar

Follow us on

પુનીત રાજકુમાર (Puneeth Rajkumar)ના ચાહકો તેમના ફેવરિટ સ્ટારના નિધનની વાત માની શકતા નથી અને કદાચ આ જ કારણ છે કે તેઓ તેમના આકસ્મિક નિધનને સામાન્ય નથી ગણી રહ્યા. વાસ્તવમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અરુણ નામના અભિનેતાના એક ચાહકે તેમના અવસાનની તપાસ માટે અરજી કરી છે.

 

કહેવામાં આવી રહ્યું છે કે એક ચાહકે તેના રહેણાંક વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે. તે ઈચ્છે છે કે તેમનું નિધન કાવતરા તરીકે થયું છે આના પર પોલિસે તપાસ કરવી જોઈએ કારણ કે અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ હતા અને જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેમને હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા ન હતા. અરુણની અરજી સ્વીકારીને પોલીસે આ તપાસની ખાતરી આપી હતી.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

 

આંખોનું દાન કરવાની લાગી હોડ

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના નિધનથી સમગ્ર સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમના અકાળ અવસાનનો આઘાત તેમના ચાહકો સહન કરી શકતા નથી. જ્યાં તેમના ઘણા ચાહકોએ સ્ટારના મૃત્યુ બાદ જાતે જ મોતને ગળે લગાવી હતી. તો તે જ સમયે કેટલાક ચાહકો તેમના માર્ગને અનુસરવાનો પ્રયાસ કરતી વખતે તેમની આંખોનું દાન કરવા લાગ્યા છે અને એક ચાહકે તેમના મૃત્યુનું કારણ જાણવા માટે કાનૂની કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.

 

દિવંગત અભિનેતા પુનીત રાજકુમારના નિધન બાદ તેમની આંખોનું દાન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં અભિનેતાના આ છેલ્લા કાર્યને પ્રશંસનીય માનતા, આંખોનું દાન કરવા ચાહકોની ભીડ બેંગલુરુ શહેરની નારાયણ નેત્રાલય હોસ્પિટલમાં પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા ચાહકો પહેલાથી જ તેમના નામ નોંધાવી ચૂક્યા છે તો મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા છે.

 

જેની સંખ્યા એક તબીબે 200 જેટલી હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે ડૉક્ટરે જણાવ્યું છે કે પુનીત રાજકુમારના ચક્ષુદાનના નિર્ણયથી અમે 30 લોકોની આંખની સર્જરી કરી છે અને અમને મૃતકોના ઘરેથી ફોન આવી રહ્યા છે. ખરેખર, સ્ટાર માટેનો આ પ્રેમ કોઈ પેશનથી ઓછો નથી, તમને જણાવી દઈએ કે પુનીત રાજકુમારના પિતા રાજકુમારના નિધન વખતે આવો નજારો જોવા મળ્યો હતો.

 

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના નિધનના સમાચારે દક્ષિણ ફિલ્મ જગતને ચોંકાવી દીધું છે. 46 વર્ષીય પુનીતનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. અભિનેતાનું અવસાન ત્યારે થયું હતું, જ્યારે તે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. લોકો તેને પ્રેમથી ‘અપ્પુ’ કહીને બોલાવતા હતા. અભિનેતાનાં નિધન બાદ તમામ સ્ટ્રાર્સથી લઈને ચાહકો તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી મોટી ફિલ્મો આપી હતી.

 

 

આ પણ વાંચો :- Singham 3 : સિંઘમ-3 માં જેવા મળશે Ajay Devgan-Jackie Shroff, એકબીજા સાથે ટકરાશે બાજીરાવ સિંઘમ અને ઉમર હાફીઝ 

 

આ પણ વાંચો :- Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં શેર કરી દિવાળીની સુંદર તસ્વીરો, જુઓ Photos

Next Article