
Sonakshi Wedding : હીરામંડી અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. તે તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા તૈયાર છે. રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી અને ઝહીર 23 જૂને લગ્ન કરવાના છે.
સોનાક્ષી અને ઝહીર 23 જૂને રજિસ્ટર્ડ લગ્ન કરશે. ઝૂમ સાથે વાત કરતી વખતે સોનાક્ષીના મિત્રએ જણાવ્યું કે, મને 23 જૂનની સાંજે લગ્નની પાર્ટીનું આમંત્રણ મળ્યું છે. તેણે કહ્યું કે આમંત્રણ પર લગ્ન વિશે કોઈ માહિતી નથી. તેણે કહ્યું, “જ્યાં સુધી મને ખબર છે, તેઓએ પહેલેથી જ રજિસ્ટર્ડ લગ્ન કરાવી લીધા છે અથવા 23 જાન્યુઆરીની સવારે કરશે. પરંતુ કોઈ મોટા લગ્ન નહીં, માત્ર એક પાર્ટી હશે.”
તમને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ રિલીઝ થયાના એક મહિના બાદ સોનાક્ષીના લગ્નના સમાચાર સામે આવ્યા છે. લગ્નને લઈને કોઈ ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી, પરંતુ સોનાક્ષીના પરિવારના નજીકના સૂત્રોએ ન્યૂઝ એજન્સી PITને જણાવ્યું કે લગ્નના સમાચાર સાચા છે.
ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર સોનાક્ષીના લગ્નમાં બોલિવૂડના તમામ સેલેબ્સ હાજરી આપશે. ગેસ્ટ લિસ્ટમાં સોનાક્ષી અને ઝહીરના લગ્નના નજીકના મિત્રો સામેલ હશે. આ કપલે બોલિવૂડ સ્ટાર્સ આયુષ શર્મા, હુમા કુરેશી અને નરુણ શર્માને પણ આમંત્રણ આપ્યું છે.
આ સિવાય હીરામંડીમાં સોનાક્ષી સાથે કામ કરનારા સ્ટારકાસ્ટ પણ વેડિંગ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે. સંજય લીલા ભણસાલી, ફરદીન ખાન, તાહા શાહ, અદિતિ રાવ હૈદરી, શર્મિન શેગલ જેવા ઘણા સ્ટાર્સને સોનાક્ષીના લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.