અભિનેતા સુશાંત સિંહે મુંબઈના બાંદ્રા સ્થિત પોતના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે પોતાની જિંદગી ટૂંકાવી લીધી. સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતા અને ઈલાજ કરાવી રહ્યાં હતા. આ ઘટનાને લઈને સુશાંત સિંહની આત્મહત્યા પર સવાલ ઉઠી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્ર્ના ગૃહમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
સુશાંત સિંહની આત્મહત્યા મુદે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટું નિવેદન આપ્યું છે. દેશમુખે કહ્યું કે સુશાંત સિંહની પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એ વાત સામે આવી છે કે તે સુશાંત સિંહે આત્મહત્યા કરી છે. મીડિયા દ્વારા એ વાત પણ સામે આવી રહી છે કે બિઝનેસ રાઈવલરીના લીધે તેઓએ આત્મહત્યા કરી છે. આ બાબતની પણ તપાસ પોલીસ વિભાગ કરશે. આમ સુશાંત સિંહે આત્મહત્યા શું બોલીવુડમાં આંતરિક દુશ્મનીના લીધે કરી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો :
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:04 pm, Mon, 15 June 20