Nawazuddin Siddiqui ની માતાએ અભિનેતાની બીજી પત્ની વિરુદ્ધ FIR નોંધાવી, લગાવ્યો આ આરોપ

|

Jan 23, 2023 | 2:04 PM

Nawazuddin Siddiqui : અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરુનિસા સિદ્દીકીએ નવાઝુદ્દીનની બીજી પત્ની ઝૈનબ ઉર્ફે આલિયા વિરુદ્ધ FIR દાખલ કરી છે.

Nawazuddin Siddiqui ની માતાએ અભિનેતાની બીજી પત્ની વિરુદ્ધ FIR નોંધાવી, લગાવ્યો આ આરોપ
Nawazuddin Siddiqui

Follow us on

ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરુનિસા સિદ્દીકીએ નવાઝુદ્દીનની પત્ની ઝૈનબ ઉર્ફે આલિયા વિરુદ્ધ FIR નોંધાવી છે. આરોપ છે કે ઝૈનબ જે બંગલામાં ગઈ હતી ત્યાં જ તેની નવાઝુદ્દીનની માતા સાથે ઝઘડો થયો હતો. આ કેસમાં વર્સોવા પોલીસે ઝૈનબને પૂછપરછ માટે બોલાવી છે.

IPC કલમ હેઠળ ગુનો નોંધાયો

નવાઝુદ્દીન સિદ્દીકીની માતાની ફરિયાદના આધારે મુંબઈની વર્સોવા પોલીસે આલિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેની સામે આઈપીસીની કલમ 452, 323, 504, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નવાઝુદ્દીન, નવાઝુદ્દીનની માતા અને આલિયા વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે. નવાઝુદ્દીન અને આલિયાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. બંનેને બે બાળકો છે. એક દીકરો અને દીકરી.

જુઓ ફરિયાદની કોપી

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

અંજલિથી બની હતી ઝૈનબ

તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકી અને ઝૈનબ ઉર્ફે આલિયાના લગ્ન ઘણા સંઘર્ષ બાદ થયા હતા. લગ્ન પહેલા ઝૈનબનું નામ અંજલી હતું. પહેલા બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને લિવ-ઈનમાં રહેતા હતા. જો કે નવાઝુદ્દીન રોજના ઝઘડાઓને કારણે લગ્ન કરવાથી ડરતો હતો. બાદમાં નવાઝુદ્દીને શીબા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબું ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. આ પછી તે ફરીથી અંજલિને મળ્યો અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન સમયે અંજલિએ પોતાનું નામ ઝૈનબ રાખ્યું હતું.

નવાઝુદ્દીન અને આલિયા વચ્ચે થયો હતો વિવાદ

વર્ષ 2020માં નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે ઘણો વિવાદ થયો હતો. તેની પત્નીએ તેને છૂટાછેડા માટે લીગલ નોટિસ પણ મોકલી હતી. જો કે, થોડા મહિનાઓ પછી, બંનેએ સમાધાન કર્યું. આ બાબતને લઈને નવાઝુદ્દીને બાદમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “હું મારા અંગત જીવન વિશે વાત કરવાનું ટાળું છું, મેં હજી સુધી કોઈની સાથે આ વિશે વાત કરી નથી. હું મારી જાતને નકારાત્મકતા અને નફરતથી ભરવા માંગતો નથી. તે હજુ પણ મારા બાળકોની માતા છે.” પછી તેણે કહ્યું હતું કે ગમે તે થાય, તે તેની પત્નીને સપોર્ટ કરવાનું ચાલુ રાખશે.

Published On - 1:57 pm, Mon, 23 January 23

Next Article