
તમે જોયું હશે કે,ફિલ્મના નામ પર કેટલીક વખત વિવાદ થાય છે. આ વિવાદના કારણે ફિલ્મ મોડી રીલિઝ થાય છે. તો કેટલીક ફિલ્મોને નામ બદલવા પડે છે. જેનો વિરોધ સોશિયલ મીડિયા પર શરુ થઈ જાય છે. તો કોઈના ટાઈટલ આપત્તિજનક લાગે છે. કોઈને ધાર્મિક ભાવનાઓ જોડાયેલી દેખાય છે. તો કેટલાકને આમા રાજનીતિક સંદેશ પણ લાગે છે. આ કારણે ધ કેરળ સ્ટોરી 2 ઘૂસખોર પંડિત અને યાદવ જીની લવ સ્ટોરી જેવી ફિલ્મોનો મામલો સીધો કોર્ટમાં પહોંચ્યો છે. હવે આ મામલાને લઈ આપણે જાણીએ કે કઈ રીતે ફિલ્મનું ટાઈટલ નક્કી થાય છે.
ઈન્ડસ્ટ્રીમાં 4 મોટા સંગઠન સાથે મળીને આ નિયમ જુએ છે. ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોશિએશન, વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ એસોશિએશન, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ
ફિલ્મ નિર્મતાઓ પોતાનું ટાઈટલ આ સંસ્થામાં રજિસ્ટર કરવાવું પડે છે.
જો કોઈ નામ પહેલા કોઈએ રજિસ્ટર કરી રાખ્યું છે. તો આ નામ અન્યને મળી શકે નહી. આ માટે એસોશિએશનથી ક્લીયરન્સ લે છે.
મોટા પ્રોડક્શન હાઉસ પોતાની ફિલ્મના નામ અને ફ્રેન્ચાઈઝીને સુરક્ષિત રાખવા માટે તેને ટ્રેડમાર્કના રુપમાં રજિસ્ટર કરે છે.
ધ કેરળ સ્ટોરી 2 મામલે કેરળ હાઈકોર્ટે કહ્યું કે, ટાઈટલ ચાહકોને ભ્રમિત કરી શકે છે. આ મામલે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી રિલીઝ રાઈટ્સ રોકવામાં આવશે.
ઘૂસખોર પંડિત પર સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કડક વલણ અપનાવ્યું. વિરોધ વધતાં નિર્માતાઓએ ટાઈટલ પાછું ખેંચી લીધું અને નવા નામ માટે સંમતિ આપી.
યાદવ જી કી લવ સ્ટોરી મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે,ટાઈટલ કોઈ પણ સમુદાયનું અપમાન કરતું નથી. કોર્ટે આ આરજી ફગાવી હતી.
3 ફિલ્મોને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરુ છે.
આ પહેલા પદ્માવતી, રામ ગોપાલ વર્માની શ્રીદેવી, બજરંગી ભાઈજાન, સિંહ સાબ ધ ગ્રેટ, કેમ્બો રાજકુમાર, મે હું રજનીકાંત, લક્ષ્મી બોમ્બ, ગોલિયો કી રાસલીલા રામ લીલા, પૃથ્વીરાજ, બિલ્લુ બાર્બર