Pawan Kalyan Family Tree : પવન કલ્યાણે 3 લગ્ન કર્યા, 4 બાળકોના પિતા, ત્રીજા લગ્નમાં પણ થઈ રહ્યું છે ભંગાણ

|

Jul 27, 2023 | 7:15 AM

Pawan Kalyan Family Tree : ફિલ્મોમાં પોતાના દમદાર પાત્રોથી લોકોના દિલ પર રાજ કરનાર પવન કલ્યાણ (Pawan Kalyan)ના ચાહકો માટે તેના ત્રીજા છૂટાછેડાના સમાચાર આઘાતજનક છે. જો કે અત્યાર સુધી આ મામલે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તો ચાલો આજે જાણીએ પવન કલ્યાણના પરિવાર વિશે.

Pawan Kalyan Family Tree : પવન કલ્યાણે 3 લગ્ન કર્યા, 4 બાળકોના પિતા, ત્રીજા લગ્નમાં પણ થઈ રહ્યું છે ભંગાણ

Follow us on

Pawan Kalyan Family Tree : પવન કલ્યાણના પિતા કોનિડેલા વેંકટ રાવના લગ્ન અંજના દેવી સાથે થયા હતા. પવન કલ્યાણ સિવાય તેને બે પુત્રો છે, નાગેન્દ્ર બાબુ અને ચિરંજીવી. ત્રણેય પુત્રો તેલુગુ સિનેમાના મોટા સ્ટાર છે સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ (Pawan Kalyan)નો પ્રોફેશનલ ગ્રાફ ભલે ઝડપથી ઊંચો જઈ રહ્યો હોય, પરંતુ પરિણીત જીવનની બાબતમાં તે કદાચ થોડો કમનસીબ છે. 51 વર્ષીય પવન કલ્યાણે એક નહીં પરંતુ ત્રણ વાર લગ્ન કર્યા છે. પહેલી પત્ની સાથે 11 વર્ષ વિતાવ્યા બાદ અલગ થયા પછી બીજી વાર લગ્ન કર્યા જે 3 વર્ષ સુધી ચાલ્યા.

વર્ષ 2013માં અન્ના લેઝનેવાને જીવનસાથી બનાવવામાં આવી હતી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હવે આ લગ્નમાં પણ ભંગાણ પડવાનું છે,

 

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

 

આ પણ વાંચો : Chiranjeevi Family Tree : અભિનેતા ચિરંજીવીના પરિવારનું છે ફિલ્મી કનેક્શન, ભાઈ, પુત્ર અને ભત્રીજો છે સાઉથના સુપર સ્ટાર

પવન કલ્યાણે 2008માં નંદિનીથી છૂટાછેડા લીધા અને 2009માં રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા. આ દંપતીને બે બાળકો છે, અકીરા નંદન અને આરાધ્યા, જોકે, તેણે 2012માં રેણુથી છૂટાછેડા પણ લીધા હતા.સ્ટારે પછીથી ડિસેમ્બર 2013 માં રશિયન છોકરી અન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે, પોલિના અંજના પાવનોવા અને માર્ક શંકર. સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણ જે માત્ર ફિલ્મોમાં જ ફેમસ નથી થયા પરંતુ રાજકારણમાં પણ નામ કમાયા છે. પવને 1997માં તેલુગુ ફિલ્મ ‘ગોકુલમલો સીતા’થી ટોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ‘બદરી’, ‘જોની’ અને ‘ગબ્બર સિંહ’ જેવી શાનદાર ફિલ્મો આપી.

દાદાથી લઈને તેમના પિતરાઈ ભાઈનું બ્રેકગ્રાઉન્ડ ફિલ્મી

ચિરંજીવી ટોલીવુડના સૌથી પ્રખ્યાત અભિનેતા અને રામ ચરણ તેજાના પિતા છે. ચિરંજીવી એક એવો અભિનેતા છે જેને સાઉથમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. જ્યારે પિતા આટલા મોટા સુપરસ્ટાર છે તો પુત્રને ફિલ્મી દુનિયામાં આવવાનું હતું. જ્યારે ચિરંજીવીની ફિલ્મો રિલીઝ થતી ત્યારે ચાહકો તેના માટે ક્રેઝી હતા, જોકે હવે ચિરંજીવી ફિલ્મી દુનિયા છોડીને રાજકારણ તરફ વળ્યા છે.રામ ચરણ તેજાનો જન્મ 1985માં તમિલનાડુમાં થયો હતો,તેણે પોતાના કરિયરની શરૂઆત 2007માં ફિલ્મ ચિરુથાથી કરી હતી. તેમના દાદાથી લઈને તેમના પિતરાઈ ભાઈ સુધીના દરેકનું બ્રેકગ્રાઉન્ડ ફિલ્મી રહ્યું છે.સાઉથના સુપરસ્ટાર રામ ચરણ પિતા બની ગયા છે.

આ પણ વાંચો : Prabhu Deva Family Tree : પ્રભુ દેવાનો આખો પરિવાર પિતાથી લઈ ભાઈ પત્ની રહી ચૂક્યા છે ડાન્સર, જાણો ‘ઈન્ડિયાના માઈકલ જેક્સન’ના પરિવાર વિશે

રામ ચરણના કાકા એટલે કે સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ છે, પવન કલ્યાણ તેમના અંગત જીવન માટે હેડલાઈન્સમાં રહે છે. તેમનું સાચું નામ કોનીડેલા કલ્યાણ બાબુ છે. જોકે સિનેમાની દુનિયામાં તેઓ પવન કલ્યાણના નામથી ઓળખાય છે.

પવનને છોડીને બાળકો સાથે અન્ના લેઝનેવા અલગ રહે છે!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાના ત્રીજા લગ્નમાં પણ તિરાડ પડી ગઈ છે. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના હાલના દિવસોમાં અભિનેતા સિવાય સિંગાપોર અથવા દુબઈમાં બાળકો સાથે રહે છે. જો કે, હવે આ વાત કેટલી સાચી છે તે તો બંન્ને જાહેર કરશે ત્યારે જ જાણ થશે.પવન કલ્યાણ અને અન્ના લેઝનેવાના છૂટાછેડાની અફવાઓ ત્યારે સામે આવવા લાગ્યા જ્યારે અભિનેતાની ત્રીજી પત્ની અનેક કૌટુંબિક કાર્યોમાંથી ગાયબ જોવા મળી. રામ ચરણ અને ઉપાસનાની પુત્રીના નામકરણ સમારોહમાં પણ અન્ના જોવા મળી ન હતી.

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article