Sidharth Malhotra Kiara Advani Wedding : લાંબા સમયથી બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચા ચાલી રહી છે. બંનેના લગ્નની લાંબા સમયથી ફેન્સ પણ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે લોકોની આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. સિદ્ધાર્થ અને કિયારા લગ્ન કરવા માટે તૈયાર છે.
સોશિયલ મીડિયા પર કપલના ખાસ દિવસ વિશે વાત કરવામાં આવી રહી છે. લગ્નના સ્થળથી લઈને મેનુ સુધી ચર્ચાઓ ચાલી રહી છે, હવે એવી વાત સામે આવી છે કે સેલિબ્રિટી મહેંદી આર્ટીસ્ટ વીણા નાગડા કિયારા અડવાણીના હાથ પર સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની સુંદર મહેંદી લગાવશે.
છેલ્લા કેટલાક દિવસોથી બંને તેમના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ બંનેના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 6 ફેબ્રુઆરીએ બંને જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાશે. આ દરમિયાન બંનેના લગ્નના ફંક્શનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તરફથી લગ્ન વિશે હજુ સુધી ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ હવે રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલની જેમ તેમના લગ્નમાં પણ ફોન પોલિસી હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ ઓર્ગેનાઈઝર્સને આ નિયમને ફોલો કરવા માટે કહ્યું છે. આ સાથે હોટેલ સ્ટાફના સ્ટાફ અને મહેમાનોને આ નિયમનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે અને બંનેએ લગ્નના ફોટા અથવા વીડિયો ક્યાંય પણ શેયર ન કરવા વિનંતી કરી છે.
સિદ્ધાર્થ અને કિયારા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, ઘણીવાર તેમના લગ્નને લઈને અટકળો થતી રહી છે. હવે આખરે બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : Sidharth Kiara Wedding : લગ્ન માટે જેસલમેર પહોંચ્યા કિયારા અને સિદ્ધાર્થ, જુઓ Viral Video
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી પોતાના પરિવાર અને ફેશન ડિઝાઈેનર મનીષ મલ્હોત્રા સાથે તેના લગ્ન માટે રાજસ્થાન પહોંચી છે. કિયારા લગ્નમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો લહેંગા પહેરવા જઈ રહી છે. આ દરમિયાન કિયારાના પિતાએ તેની પુત્રીના લગ્ન પર પ્રતિક્રિયા આપી છે. જ્યારે તેને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કપલ માટે ‘ઓલ ધ બેસ્ટ’ કહ્યું.