
જાવેદ અખ્તર (Javed Akhtar) બોલિવૂડ ઉદ્યોગના પ્રખ્યાત લેખક તેમજ એક તેજસ્વી ગીતકાર છે. તેણે ‘સંદેસે આતે હૈં’, ‘મેં અગર કહું’, ‘દો પલ’ અને બીજા ઘણા ગીતો લખ્યા છે, જેની ફિલ્મો કરતાં વધુ ચર્ચા થઈ હતી. હવે જાવેદ અખ્તરે વર્ષો પછી ખુલાસો કર્યો છે કે તેણે ખૂબ દારૂ પીને ગીત લખ્યું છે. તેણે અડધી રાત્રે થોડી જ મિનિટોમાં એક સુંદર ગીત લખી નાખ્યું હતું, જેને આજે પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો : જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના રનૌતે કોર્ટને કરી વિનંતી, કહ્યું- મારી બહેન રંગોલી ચંદેલનું નિવેદન દાખલ કરો
તાજેતરમાં જ જાવેદ અખ્તરે કોલકાતામાં FICCIના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે આ રસપ્રદ ઘટના સંભળાવી હતી. તેણે કહ્યું, ‘મેં કેટલાક ગીતો 10 મિનિટથી ઓછા સમયમાં લખ્યા છે. સિલસિલા પછી યશ ચોપરાના આસિસ્ટન્ટ મારી પાસે આવ્યા અને કહ્યું કે સર, હું એક નાની ફિલ્મ બનાવી રહ્યો છું. હું ઈચ્છું છું કે તમે મારી ફિલ્મ માટે ગીતો લખો પણ મારી પાસે તમને આપવા માટે બિલકુલ પૈસા નથી. ત્યારે મેં કહ્યું કે ઠીક છે, હું લખીશ.
તેણે આગળ કહ્યું, ‘હું મફતમાં કામ કરતો હતો. મેં બધાં ગીતો લખ્યાં, પણ એક અધૂરું રહી ગયું. એ બિચારો માણસ રોજ સાંજે મારી પાસે ગીતો વિશે પૂછવા આવતો અને એ દિવસોમાં હું દારૂ પીતો. અમે રોજ સાંજે વાઇન પીતા. બેસીને ગપસપ કરતા. આવી સ્થિતિમાં રાતના અઢી વાગ્યા હતા. ત્યારે મેં તેને કહ્યું કે હવે તે કાલે આ ગીત પૂરું કરશે.
જાવેદ અખ્તરે કહ્યું કે, ‘એ બિચારો માણસ મારી પાસે રોજ આવતો હતો કારણ કે તેને ગીત જોતું હતું. આવું કેટલાક દિવસો સુધી ચાલ્યું. એકવાર મધરાતે 8-9 પેગ પીધા પછી મેં કહ્યું પેન અને કાગળ લાવો, હવે ગીત લખું. હું જાણું છું કે મેં ગીત 9 મિનિટમાં લખ્યું હતું. કારણ કે તેને તેની છેલ્લી ટ્રેન પકડવાની હતી. તે વારંવાર તેની ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો. તેથી મેં 9 મિનિટમાં ગીત લખીને તેને આપ્યું. એ ગીત જગજીત સિંહે ગાયું હતું. તે ગીત છે ‘તુમકો દેખા તો યે ખયાલ આયા’.